ગુજરાત સરકારે મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કર્યો, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું : આ ચિંતાનો વિષય છે..!

ગુજરાત સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારા કરીને ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા (સુધાર) નિયમો-2025, લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

New Update
  • ગુજરાત રાજ્યના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો

  • રાજ્ય સરકારના નિર્ણય સામે મનીષ દોશીએ વિરોધ નોંધાવ્યો

  • ભાજપ સરકારે બહુમતીના જોરે ભથ્થામાં વધારો કર્યો : પ્રવક્તા

  • ગુજરાત સરકારમાં નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ : પ્રવક્તા

  • મંત્રીઓના ભથ્થામાં થયેલો વધારો ગુજરાત માટે ચિંતાનો વિષય

Advertisment

ગુજરાત સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારા કરીને ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા (સુધાર) નિયમો-2025લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે નવા નિયમોને ગેઝેટમાં પ્રસિદ્ધિ આપી છે. તો બીજી તરફરાજ્યમાં મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્ય સરકારના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મંત્રીઓને હોટલ અથવા લોજ સિવાય અન્ય જગ્યાઓ રોકાણ અને ખાનપાન સહિતના ભથ્થામાં 3 કેટેગરી વાઈઝ વધારો કરાયો છે. મંત્રીઓના મુસાફરીના ભથ્થામાં કરાયેલો વધારો ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા સુધારા નિયમો 2025 હેઠળ લાગુ પડશે. તો બીજી તરફરાજ્યના મંત્રીઓના ભથ્થાના વધારાને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.

આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 'ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે. સરકારની આ જાહેરાત ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. એક તરફગુજરાતમાં 89 હજારના દેવા સાથે બાળક જન્મે છે. તો બીજી તરફમંત્રીઓને સર્કીટ હાઉસ અને બીજી સુવિધાઓ નજીવા દરે મળે છે. સરકારના આંકડા મુજબગુજરાતના 3.54 કરોડ ગુજરાતીઓ સસ્તા અનાજ પર આધારીત છે. રાજ્યમાં 78 લાખથી વધુ પરિવાર ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. એક તરફ સામાન્ય જનતાની આવક ઘટતી જાય છે. તો બીજી તરફગુજરાત સરકારમાં નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ હોવાના કારણે મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો હોવાનો ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો.

 

Advertisment
Read the Next Article

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Advertisment