ગુજરાત રખડતાં ઢોર મુદ્દે હાઈકોર્ટે લાલચોળ, સરકારને ગંભીર થવા ફટકાર

હાઈકોર્ટમાં રખડતા ઢોરોનો ત્રાસ અંગે કરેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેર હિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી.

New Update
ગુજરાત રખડતાં ઢોર મુદ્દે હાઈકોર્ટે લાલચોળ, સરકારને ગંભીર થવા ફટકાર

ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધ સતત તેનો ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટ રખડતા પશુ ની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારની ટકોર કરી છે

Advertisment

હાઈકોર્ટમાં રખડતા ઢોરોનો ત્રાસ અંગે કરેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેર હિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી. આ તકે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, રખડતા ઢોરોનો ત્રાસ નો મામલો નિયંત્રણ બહાર થઇ ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં ભરવા જોઇએ. સરકારે મોટા શહેર સહિત રાજ્યભરમાં નક્કર પગલાં ભરવા જોઈએ, આ સમસ્યા ઉકેલવા માટે ગંભીરતાથી કામ કરવું જોઈએ. ચોક્કસ એક્શન પ્લાન રજૂ કરવા સરકારને કોર્ટનો આદેશસાથે જ હાઈકોર્ટે સરકારને મૌખિક નિર્દેશ કર્યો હતો કે, રખડતા ઢોરોના નિરાકરણ માટે ચોક્કસ એક્શન પ્લાન બનાવી રજૂ કરવામાં આવે. રખડતા ઢોરોના મુદ્દે હવે સરકારે કંઈક કરવું જોઇએ. આ અરજીની વધુ સુનાવણી 9 જાન્યુઆરી હાથ ધરવામાં આવશે

Advertisment