ગુજરાત : મતદાન પૂર્ણ થતાં ફરી વખત રૂપાલાએ માફી માંગી

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને ફરી ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગી છે.

New Update
ગુજરાત : મતદાન પૂર્ણ થતાં ફરી વખત રૂપાલાએ માફી માંગી

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને ફરી ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગી છે.

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. તેમણે કહ્યું કે, હું મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થયો છું. મારા એક નિવેદને સમગ્ર ચૂંટણીમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે. હું જાહેર જીવનના ખૂબ જ પીડાદાયક તબક્કામાંથી પસાર થયો છું. તે મારું નિવેદન હતું, હું સમગ્ર ઘટનાનો કેન્દ્રબિંદુ હતો. ક્ષત્રિય સમાજના વિરોધને કારણે ભાજપ પક્ષ આમાં ઘેરાય ગયો. સામાન્ય રીતે મારું ભાષણ મારા પક્ષ માટે પ્રેરણાદાયી અને પ્રોત્સાહક હોય છે, પરંતુ આ વખતે મારા નિવેદને સમગ્ર ભાજપ દ્વિધા માં મુકાય ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા નિવેદન પર ક્ષત્રિય સમાજમાંથી પ્રતિક્રિયા આવી છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો, પરંતુ હું પણ માણસ છું અને માણસો જ ભૂલ કરે છે. તે સમયે મેં ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી, પરંતુ હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોઈ રાજકીય મુદ્દો નથી. ક્ષત્રિય સમાજના લોકોને ઠેસ પહોંચી છે મૈ એ સમયે પણ માફી માંગી હતી. આજે ફરી હું ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું. તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારા કારણે જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. મારા કારણે મારા ક્ષત્રિય સમાજના મિત્રો ને પણ સાંભળવું પડ્યું તે બદલ પણ હું દિલગીરી વ્યક્ત કરું છું.

Read the Next Article

દાહોદ : ભાજપના નેતાની સ્કૂલમાં જ બાળકોના વાલીઓ લૂંટાયા, RTEના નિયમો વિરુદ્ધ 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે

New Update
  • દાહોદની સ્કૂલમાંRTE નિયમના ધજાગરા

  • ભાજપ નેતાની સ્કૂલે જ તોડ્યો નિયમ

  • નગરપાલિકાના પ્રમુખની સ્કૂલે તોડ્યો નિયમ  

  • 80 વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી સ્કૂલ ફી

  • PM મોદી અને કલેકટરને કરાઈ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલેRTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે,હાલ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે સરકારનાRTE નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલેRTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એકબે નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલેRTE એક્ટનો ભંગ કર્યો છે.

આ સ્કૂલ બીજા કોઇની નહીંપણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે.

એક વિદ્યાર્થીનેRTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતુંપરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી હતી.

આ પત્રમાં વાલીએ દાવો કર્યો કેRTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતુંજેના કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે.

ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર આ એક જ વિદ્યાર્થી નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે.ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે,જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની  સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે.

Latest Stories