પાટીદાર યુવાનો સામેના કેસ પાછા ખેંચ્યા હોવાનો હાર્દિક પટેલનો દાવો,સરકારની કોઈ સત્તાવાર જાહેરાત નહીં!

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા.

New Update
0

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા.

Advertisment

આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલગોપાલ ઈટાલિયાઅલ્પેશ કથરિયારેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતા. જોકેઆ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી.

આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતા. જોકેહવે 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કેભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું કેગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરૂ છું.

જોકે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ સર્ક્યુલર કે પત્ર જાહેર કરાયો નથી.આ મામલે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઓફિસર દ્વારા પણ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.પાટીદાર નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ આધાર પુરાવા વિના જ આ દાવા કરવામાં આવી રહ્યા હોવાનું પણ કહેવાય છે. 

 

Advertisment