વલસાડમાં અનરાધાર..! : ભારે વરસાદના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાય, NDRFની ટીમ પણ તૈનાત થઈ

ભારે વરસાદન પગલે દમણ ગંગા નદીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

New Update

અનરાધાર વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

મધુબન ડેમની જળ સપાટીમાં વધારો થતાં પાણી છોડાયું

વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા

વરસાદના કારણે 49 રસ્તા ઓવર ટોપિંગ થતા બંધ કરાયા

શાળા-કોલેજોમાં રજા જાહેર, NDRFની ટીમ તૈનાત કરાય 

વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતાં વહીવટી તંત્રએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હતી. તો બીજી તરફકોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. તો લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફમધુબન ડેમમાં પાણીની ભારે આવક થતા ડેમમાંથી પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે.

જેને લઈને દમણ ગંગા નદીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા કલેકટર અનુસૂયા ઝાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાત લીધી હતીઅને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યા મુજબ જિલ્લાના કુલ 49 રસ્તાઓ ભારે વરસાદના કારણે ઓવર ટોપિંગ થતા બંધ થયા છેઅને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા NDRFની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.