New Update
વલસાડ જિલ્લાના પારડી ખાતેના પલસાણામાં તસ્કરોએ એક મંદિરને નિશાન બનાવ્યું હતું,અને મંદિરમાંથી દાન પેટી તેમજ શિવજીનો નાગ અને છત્તરની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
પલસાણામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ ટાર્ગેટ કર્યું હતું,અને મંદિરનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ મંદિરની દાનપેટી,ભગવાન શિવજીનો નાગ અને છત્તરની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.રૂપિયા 25000 ના મુદ્દામાલની ચોરી અંગે પારડી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
Latest Stories