ગુજરાતમાં વણથંભી દુષ્કર્મની ઘટના, થાનમાં સગીરાને આઠ નરાધમોએ પીંખી નાખી

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

New Update
RApe 1

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડી.વાય.એસપી રબારીએ આપેલી માહિતી અનુસાર આ મામલે એકની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

થાનમાં સગીરાને આઠ નરાધમોએ પીંખી નાખી 

સગીર પીડિતાની માતાએે આઠ નરાધમો સામે થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. આઠ શખ્સો માંથી કેટલાક આરોપીઓ દ્વારા 17 વર્ષીય સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરાઈ છે. અલગ અલગ 8 શખ્સોએ છેલ્લા સાત મહિનામાં સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસ ફરિયાદમાં આરોપીઓના નામ આપ્યા છે.

Latest Stories