નર્મદા: SOU ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો,દેશ વિદેશના પતંગરસિકોએ લીધો ભાગ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.આ પતંગ ઉત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજો નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે અવનવા કરતબો કર્યા

New Update
  • SOU ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

  • દેશ વિદેશના પતંગબાજોએ લીધો ભાગ

  • 65 પતંગબાજોએ રંગબેરંગી પતંગ ઉડાવી

  • અવનવી પતંગોએ પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ  

  • કર્ણાટકના પતંગબાજો સ્વ.રતન ટાટાને પાઠવી શ્રદ્ધાંજલિ

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.આ પતંગ ઉત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજો નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે અવનવા કરતબો કર્યા હતા.

નર્મદા જિલ્લા વહિવટીતંત્રગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.આ મહોત્સવ થી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસરની પ્રવાસીઓને તક મળી હતી.અને જેને નિહાળવા  મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો ઉમટી પડયા હતા.

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રવાસન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફુગ્ગા ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે.

પતંગ મહોત્સવની શરૂઆત થતાની સાથે -દુનિયાના 13 થી પણ વધારે દેશના  પતંગબાજો તેમજ ભારતીય પતંગબાજોએ  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર અલગ અલગ પતંગ ઉડાવી હતી.પતંગબાજોએ ઢીંગલાના સ્વરૂપમાં,ઇગલના સ્વરૂપ તેમજ એક સાથે 10થી વધારે પતંગો સહિતની રંગબેરંગી પતંગો ઉડાવી હતી. આ ઉપરાંત દેશના ઉદ્યોગપતિ સ્વ.રતન ટાટાને આ પ્રસંગે શ્રદ્ધાંજલિના ભાગ રૂપે એક કર્ણાટકના પતંગ બાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવી પતંગ ઉડાવી હતી.

Read the Next Article

ભાવનગર :  અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે કરાયો પ્રારંભ

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો

New Update
  • સૌરાષ્ટ્રવાસીઓને નવી એક ટ્રેનની સુવિધા મળી 

  • અયોધ્યા જવા માટે ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે મંત્રીના હસ્તે કરાયો ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત

  • વ્યાપાર,વાણીજય,પ્રવાસનને વેગ મળવાની આશા

ભાવનગરથી અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે પ્રારંભ કરાયો હતો.11 ઓગસ્ટથી આ ટ્રેન ભાવનગર અયોધ્યા વચ્ચે નિયમિત દોડશે.

સૌરાષ્ટ્રવાસીઓને અયોધ્યા જવા માટે નવી એક ટ્રેનની સુવિધા મળી છે.ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગરમાં બે નવા રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર-રાજકોટ વાયા વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પૈકી એક ટ્રેન દરરોજ અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. આ ટ્રેન શરૂ થતા રાજકોટજૂનાગઢ અને પોરબંદર જિલ્લાના લોકોને લાભ થશે. ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અન્ય રેલવેના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે.

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો હતો. ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને આજે રવિવારના રોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી સવારે 11 કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 11 ઓગસ્ટથી આ ટ્રેન નિયમિત ભાવનગર-અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક દોડશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ મંડાવીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકસીત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની 3જી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.આર્થિક ગતિવિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટપોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપારવાણીજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતી મળશે.લોકો  માટે આગમન સુગમ અને સુવિધાયુક્ત બનશે તથા વિકસીત ભારતની સાથે જ વિકસીત રાજકોટવિકસીત પોરબંદર અને વિકસીત જુનાગઢનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે.

સૌરાષ્ટ્રવાસીઓને નવી ટ્રેન અને વિકાસલક્ષી આયામોની ભેટ મળતા આંદોલનકારી રાકેશ લાધલાનીએ ખુશી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.અને વિદ્યાર્થી આગેવાન તરીકે ટ્રેન સુવિધા માટે કરેલા આંદોલન અને સંઘર્ષનું વર્ષો લોકોની સુખાકારી માટે સુખદ સફળતા પૂર્વકનું પરિણામ મળ્યું છે.