Connect Gujarat
ગુજરાત

જામનગર : મેઘરાજાની મહેર બની "કહેર", છોટી કાશીમાં "આભ" ફાટતાં તંત્ર એલર્ટ

અતિભારે વરસાદના કારણે કેટલા વિસ્તારો બેટમાં ફેરવાયા, ગ્રામ્ય વિસ્તારોમાં 5 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાઈ ગયા.

X

લાંબા વિરામ બાદ જામનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. પરંતુ હવે મેઘરાજાની મહેર કહેર બની તૂટી રહી છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે કેટલા વિસ્તારો બેટમાં ફેરવાયા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસતા સ્થાનિક તંત્ર દ્વારા હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.

જામનગર જિલ્લા સહિતના તાલુકામાં ભારે વરસાદ વરસતા તમામ ડેમ સહિત નદી-નાળા પાણીથી છલકાય ઉઠ્યા છે. ગઈકાલ રાતથી જ શરૂ થયેલ અવિરત વરસાદનું પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે 5 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હતા. ગામમાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચઢી ગયા હતા. તો સાથે જ કેટલાક ગામો પણ બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો જામનગરમાં સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે.

જામનગર શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવર-ફ્લો થયો છે. ગત રવિવારે દિવસ તેમજ રાત્રે જામનગર તાલુકાના મોટાભાગના ગામમાં ભારે વરસાદ વરસતા અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાય છે. જોકે, ઘણા ગામડાઓ નદી અને વોકરાના પાણી ઘુસી જતાં સંપર્ક વિહોણા થયા છે. કાલાવડમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, ધ્રોલમાં સરેરાશ 6.5 ઇંચ વરસાદ, જોડીયામાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ, જામનગર શહેરમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ, જામજોધપુરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે છેલ્લા 48 કલાકથી પંથકમાં અતિભારે વરસાદની શક્યતાના કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદના કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેના કારણે વિજરખી પાસેનો કોઝ-વે પણ બંધ થયો છે. જામનગર તાલુકામાં આવેલા તમામ ડેમ એક દિવસમાં છલકાય ગયા છે. તો 2 ગરમાયું વિસ્તારમાં ચેકડેમ તૂટ્યા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. આ સાથે જ પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

Next Story