જામનગર: માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

જામનગરમાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે RTO કચેરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
જામનગર: માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

જામનગરમાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે RTO કચેરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ રક્તદાન કર્યું હતું

દેશભરમાં લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ વધે અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય તે હેતુથી દરવર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આ વર્ષે 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જામનગર RTO કચેરી, જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા અને ટ્રાફિક એજ્યુકેશન સોસાટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરમાં 87 નગરજનો અને કર્મચારીઓએ રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી હતી.કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડ શહેરની ગુરૂગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ તેમજ થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓ માટે ઉપયોગમાં આવે તે માટે સોંપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આયુર્વેદના વૈધ અનુપ ઠાકર, શહેર અગ્રણી જીતુભાઈ લાલ, જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ના જે.જે. ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.
Latest Stories