જામનગર: મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.18.49 કરોડના વિકાસના કામોને અપાય મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાય હતી જેમાં ૧૮ કરોડ૪૯ લાખ રૂપિયાના વિકાસકામોને મંજુરી આપવામાં આવી હતી.

New Update
જામનગર: મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.18.49 કરોડના વિકાસના કામોને અપાય મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાય હતી જેમાં ૧૮ કરોડ૪૯ લાખ રૂપિયાના વિકાસકામોને મંજુરી આપવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમિતિના અધ્યક્ષ મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને કમિટી હોલમાં યોજાઈ હતી જેમાં નવ નિયુક્ત કમિશ્નર ડી.એન.મોદીનું સમિતિના સદસ્યો, મેયર બીના કોઠારી, ધારાસભ્ય દિવ્યેશઅકબરરી,ડેપ્યુટી મેયર તપન પરમારના હસ્તે સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં સીસી રોડ, કોમ્યુનીટી હોલ,ભૂગર્ભ ગટરના કામો,ઢોરના ડબ્બામાં ઘાસચારો સપ્લાઈ કરવાના કામો મળી કુલ રૂપિયા ૧૮ કરોડ ૪૯ લાખના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી

Read the Next Article

ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભક્તિમાં બનશે લીન, તૈયારીઓને આખરી ઓપ આપાયો

શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવી કંબોઈ ખાતે પધારનાર છે જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

New Update
  • આવતીકાલે સી.એમ.ભુપેન્દ્ર પટેલ બનશે ભરૂચના મહેમાન

  • કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન

  • તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

  • સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી

  • અંકલેશ્વરમાં પણ કાર્યક્રમમાં આપશે હાજરી

ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારનાર છે.જેને લઈને વહિવટ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવેલા સ્થંભેશ્વર મહાદેવ મંદિર સમગ્ર રાજ્યમાં ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે ત્યારે આવતીકાલે  શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવી કંબોઈ ખાતે પધારનાર છે.જેને લઈને જંબુસર- આમોદ ધારાસભ્ય ડી.કે.સ્વામી એ માહિતી આપતા જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવી-કંબોઈ ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપનાર છે.
મુખ્યમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને,ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કાવી-કંબોઈનું પૌરાણિક શિવ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સાફ-સફાઈ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન પુરજોશમાં ચાલી રહ્યું છે.મુખ્યમંત્રીના આગમનને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.
Latest Stories