જામનગર : ભગવાન પ્રત્યે ભક્તોએ રજૂ કર્યો પોતાનો ભાવ, ભગવાનને પહેરાવ્યા ગરમ વાઘા...

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે

New Update
જામનગર : ભગવાન પ્રત્યે ભક્તોએ રજૂ કર્યો પોતાનો ભાવ, ભગવાનને પહેરાવ્યા ગરમ વાઘા...

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે, ત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ગરમ વાઘા પહેરાવી ભક્તોએ ભગવાન પ્રત્યે પોતાનો ભાવ રજૂ કર્યો હતો.

શિયાળાની હાડ થીજાવતી ઠંડીની જામનગરમાં પણ શરૂઆત થઈ છે. જોકે, લોકો ઠંડીથી બચવા અનેક પ્રકારના પ્રયાસો કરતાં હોય છે, ત્યારે જામનગર શહેરના બેડી ગેટ નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ગરમ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન પ્રત્યે અનોખો ભાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભગવાનને ગરમ વાઘા પહેરાવી પોતાની શ્રધ્ધા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે ગરમ વાઘામાં ભગવાનને જોઈ સૌભક્તો ભાવવિભોર થયા હતા.

Read the Next Article

ભરૂચ: વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update
2 varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 18 મી.મી.આમોદ 7 મી.મી.વાગરા 1 ઇંચ ભરૂચ 21 મી.મી.ઝઘડિયા 1 ઇંચ.અંકલેશ્વર 1 ઇંચ.હાંસોટ 17 મી.મી..વાલિયા 1 ઈંચ અને નેત્રંગમાં 9 મી.મી.વરસાદ નોંધાયો હતો

Latest Stories