જામનગર : અવિરત વરસાદના કારણે લાખોટા તળાવમાં આવ્યા નવા નીર, તો ક્યાક અકસ્માતો પણ સર્જાયા...

જામનગર જીલ્લામાં સતત મેઘમહેર થતાં લાખોટા તળાવે નવા નીર આવતા રમણીય દ્રશ્યો,વરસાદના કારણે શહેરમાં અકસ્માતો પણ સર્જાયા

New Update
જામનગર : અવિરત વરસાદના કારણે લાખોટા તળાવમાં આવ્યા નવા નીર, તો ક્યાક અકસ્માતો પણ સર્જાયા...

સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગર જીલ્લામાં પણ મેઘરાજાની અવિરત બેટિંગ જોવા મળી છે. ક્યાક નવા નીર સાથે પાણીની આવક વધી છે, તો ક્યાક ભારે વરસાદના કારણે અકસ્માતો પણ સર્જાયા હતા.

છેલ્લા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે ગત રાતથી જામનગર શહેર થતાં જીલ્લામાં સતત મેઘમહેર થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને લીધે શહેરના હાર્દ ગણાતા લાખોટા તળાવમાં નવા નીર આવતા તળાવનો નજારો રમણીય બનવા પામ્યો છે, ત્યારે ચાલુ વરસાદે જામનગરવાસીઓ આ નજારાને જોવા ઉમટ્યા હતા. સાથે જ નવા નીરના વધામણાં કરી આનંદ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ રણજીતસાગર ડેમ તરફ જતા રંગમતી પુલ ઉપર ગત રાત્રે ભારે વરસાદના પગલે જામનગરથી ઉપલેટા તરફ મગફળી લઈને જતાં ટ્રક ચાલકને રસ્તો ન દેખાતા ડિવાઈડર પર ચઢી જઈ ટ્રક પલટી મારી ગયો હતો, જ્યારે દરેડ ગામ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિર નજીક નદીમાં નવા નીરની આવકના કારણે મંદિર પાણીમાં ગરકાવ થતું જોવા મળ્યું હતું.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories