જામનગર: મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિની ઉજવણી,ગૃહ પ્રધાન અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

New Update
જામનગર: મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિની ઉજવણી,ગૃહ પ્રધાન અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ પર જામનગરમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં રક્તદાન કેમ્પ તેમજ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર, બાઇક રેલી પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્ય રિવાબા જાડેજાની રક્તતુલા, જાણીતા કલાકારો માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી અને કિનજલબેન દવે નો લોકડાયરો યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમોમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રી રત્નાકર, પૂર્વમંત્રી આર.સી.ફળદુ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.લોકોએ મોડી રાત્રી સુધી ડાયરની મોજ માણી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.