Connect Gujarat
ગુજરાત

જામનગર: મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિની ઉજવણી,ગૃહ પ્રધાન અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

X

મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ પર જામનગરમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં રક્તદાન કેમ્પ તેમજ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર, બાઇક રેલી પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્ય રિવાબા જાડેજાની રક્તતુલા, જાણીતા કલાકારો માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી અને કિનજલબેન દવે નો લોકડાયરો યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમોમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રી રત્નાકર, પૂર્વમંત્રી આર.સી.ફળદુ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.લોકોએ મોડી રાત્રી સુધી ડાયરની મોજ માણી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી

Next Story