Connect Gujarat
ગુજરાત

જામનગર : શહીદ દિન નિમિત્તે વીર સપૂત ભગતસિંહની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય...

જામનગર શહેર ભાજપ દ્વારા શહીદ દિનના દિવસે ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

X

જામનગર શહેર ભાજપ દ્વારા શહીદ દિનના દિવસે ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરના હવાઈચોક ખાતે આજે 23 માર્ચ શહીદ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર યુવા મોરચા દ્વારા વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ માટે તેમણે પોતાનું જીવન ખપાવી દીધું, તેવા ભારત માતાના વીર સપૂત ભગતસિંહને શહીદ દિન નિમિત્તે વિશેષ યાદ કરવામાં આવ્યા હતા. આ તકે જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યા, શહેર મહામંત્રી પ્રકાશ બાંભણીયા, કોર્પોરેટરો સહિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story