જામનગર : વરસાદના આલિંગન માટે તરસતી ભૂમિ થઈ તૃપ્ત, મેઘસવારીથી ખેડૂતોમાં ખુશી

સમગ્ર જામનગર જીલ્લામાં રચાયો છે વરસાદી માહોલ. કાલાવડ, જામજોધપુર, સચરાસર, લાલપુરમાં વરસાદ.

New Update
જામનગર : વરસાદના આલિંગન માટે તરસતી ભૂમિ થઈ તૃપ્ત, મેઘસવારીથી ખેડૂતોમાં ખુશી

હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ જામનગર જીલ્લામાં વરસાદી માહોલ રચાયો છે. કાલાવડ અને જામજોધપુર પંથકના સચરાસર તેમજ લાલપુરના અમુક ગામડાઓમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો હતો. આ માહોલ રાતભર રહ્યા બાદ 2 તાલુકામાં 2 ઇંચ ઉપરાંત વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં આનંદ છવાઈ ગયો છે.

Advertisment

જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકા મથકે અડધો અડધો ઇંચ તેમજ ગ્રામ્ય પંથકમાં અડધાથી માંડી 3-4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને નીચાણવાળા ગ્રામ્ય પંથકની નદીઓ છલકાય જવા પામી છે. તો ખરીફ પાક પર આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો છે. હવામાન વિભાગના વરતારા મુજબ સૌરાષ્ટ્રના સાગર કિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સાચી સાબિત થઇ રહી છે. જોડિયા અને ધ્રોલ તાલુકા મથકે તેમજ ગ્રામ્ય પંથકમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જોડીયામાં 50 મીમી અને ધ્રોલમાં 48 મીમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે મેઘ મહેરને લઈને બન્ને તાલુકાની વરસાદના આલિંગન માટે તરસતી ભૂમિ તૃપ્ત થઇ છે.

Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment
Latest Stories