જામનગર : રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 22મો સમૂહ લગ્નોત્સવ યોજાયો…
રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિનું આયોજન 22માં સમૂહ લગ્નોત્સવમાં 25 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
BY Connect Gujarat Desk19 April 2022 10:50 AM GMT
X
Connect Gujarat Desk19 April 2022 10:50 AM GMT
જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 22માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કષ્ટભંજન સત્સંગ હૉલ-ગાંધીનગર ખાતે 22માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે.જાડેજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં 25 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજા, મંત્રી પ્રવિણસિંહ જાડેજા સહિત આગેવાનો અને કારોબારી સભ્યો તથા કાર્યકર્તાઓ જોડાયા હતા.
Next Story