જામનગર : NCC દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પ યોજાયો…

જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
જામનગર : NCC દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પ યોજાયો…

જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્મી અને નેવીના શાળા કોલેજના 320 કેડેટ્સે ભાગ લઈ સાંસ્ક્રુતિક કાર્યક્રમ, રમત-ગમત વિવિધ વિભાગોમાં મેડલ્સ જીત્યા હતા.જામનગર : NCC દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પ યોજાયો…

જામનગરમાં એસએસબી પરિસરમાં એનસીસી આર્મી અને નેવીના શાળા કોલેજના 320 કેડેટ્સ માટે 8 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર એનસીસી ગ્રૂપ હેડક્વાર્ટર અને 27 ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા પીઆરઆઈ-આરસીસી–3 તથા સીએટીસી 16 સંયુક્ત કેમ્પમાં કેડેટસને ફાયરિંગ, ડ્રિલ, પીટી, રમત-ગમત, સંરક્ષનને લગતા વિવિધ વિષયોની રસપ્રદ તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પમાં કપરી તાલીમ લઈ પસંદગી પામેલ આર્મી તથા નેવીના 49 કેડેટ્સ અમદાવાદમાં યોજાનારા કેમ્પમાં ભાગ લેશે, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાના ગ્રૂપ હેડ ક્વાર્ટરના કેડેટ્સ સામેલ થશે અંતમાં રાજ્ય કક્ષાએ ગુજરાતભરમાંથી પસંદ થયેલા 110 કેડેટ્સ ગણતંત્ર દિવસની પરેડની તાલીમ માટે દિલ્હી જશે. આ ઉપરાંત કેમ્પમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેડેટ્સ દ્વારા ગરબા, ડ્રિલ ડેમો, રિમિક્સ નૃત્ય વગેરે વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.