Connect Gujarat
ગુજરાત

જામનગર : કેપિટલ માર્કેટ વિષય પર ICAI દ્વારા સેમિનાર યોજાયો, CA પ્રેકટિશનર્સને માર્ગદર્શન અપાયું

જામનગરની ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2 દિવસીય કેપિટલ માર્કેટ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

જામનગરની ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2 દિવસીય કેપિટલ માર્કેટ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના ફેકલ્ટીઓ દ્વારા કેપિટલ માર્કેટ પર સંપૂર્ણ માહિતી આપી હતી.

જામનગરની ખોડિયાર કોલોની સ્થિત ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2 દિવસીય કેપિટલ માર્કેટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અમદાવાદ, ગાંધીધામ અને જામનગરના સીએ રાહુલ માલિવાલ, સીએ કલપિત મહેતા, સીએ પ્રતિક ચાંદ્રા, સીએ જીતેન્દ્ર ખંડોલ અને સીએ પરાગ સુમરિયા દ્વારા ઉપસ્થિત જામનગરના સીએ પ્રેકટિશનર્સને શેર માર્કેટમાં ટ્રેડિંગ કેમ કરવું અને સક્સેસ કેમ થવું તે વિષય પરના નિયમોની છણાવટ કરી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર ICAI બ્રાન્ચના ચેર પર્સન દીપા ગોસ્વામી, વાઇસ ચેરમેન પ્રતિક ચાંદ્રા, સેક્રેટરી પ્રિતેશ મહેતા સહિતના સભ્યો અને સીએ પ્રેકટિશનર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story