જૂનાગઢ: દિવ્યાંગ યુવકની સાહસિક ગિરનારની સફર,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ મેળવ્યું છે સ્થાન

જૂનાગઢના યાત્રાધામ ગરવા ગઢ ગિરનારને એક દિવ્યાંગ યુવકે 10મી વખત પગથી નહીં પરંતુ હાથની મદદથી સર કર્યો છે.અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે.

New Update
  • દિવ્યાંગ યુવકની સાહસિક ગિરનારની યાત્રા

  • સતત દસમી વખત ગિરનાર કર્યો સર

  • ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું છે સ્થાન

  • સાહસિક યાત્રામાં મિત્રો બન્યા સથવારો

  • આધ્યાત્મિકતા સાથે સેવાની ધૂણી ધખાવી

જૂનાગઢના યાત્રાધામ ગરવા ગઢ ગિરનારને એક દિવ્યાંગ યુવકે 10મી વખત પગથી નહીં પરંતુ હાથની મદદથી સર કર્યો છે.અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. યુવકના સાહસને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. 

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી પરંતુ અહીંયા હિમાલય નહીં ગરવા ગઢ ગિરનારની વાત છે.ગિરનાર ખાતે રોપવેની પણ સુવિધા છે,પરંતુ શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો તો આજે પણ પગથિયા પર ચાલીને જ ગિરનાર ચડે છે.જે સ્વસ્થ લોકો ન કરી શકે તેવું આ દિવ્યાંગ યુવકે કર્યું છે,મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી હાલમાં 41 વર્ષની ઉંમર ધરાવતા વિપુલ બોખરવાડીયાને બે વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગ ગુમાવા પડ્યા હતા.તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું અને એટલું જ નહીંવિપુલે ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગિરનાર અત્યાર સુધીમાં 10મી વખત સર કર્યો છે! વર્ષ 2018માં પાંચમી વખત ગિરનાર સર કર્યોત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલને 20 કલાક જેટલો સમય લાગે છે તે રાત્રિના ચડે છે અને બપોરના સમયે ફરી તે ગિરનારના પગથિયાંઓ ઉતરી પોતાના વતન રવાના થાય છે.દર વર્ષે પોતાના મિત્રો સાથે ગિરનારની યાત્રા કરે છે અને 10મી વખત  ગિરનાર સર કરીને  તેઓએ ધન્યતા અનુભવી હતી.

સાહસિક કાર્યમાં કંઈક કરવું હોય તો મિત્રનો સહારો જરૂરી બનતો હોય છે,ત્યારે વિપુલ તેમના મિત્રના સહારે સૌપ્રથમવાર 2005માં ગિરનાર પર આવ્યા હતા જ્યારે તેમનું નહોતું એટલે ગિરનાર પર કરી શકશે પરંતુ મિત્રોના સહારાથી તેઓએ સફળ થયા હતા.ત્યારબાદ આજ દિવસ સુધી દર વર્ષે ગિરનારની યાત્રા કરવા આવે છે અને અન્ય મિત્રોને પણ સાથે લાવે છે. આ વર્ષે 90 જેટલા તેમના મિત્રો તેમના સથવારા માટે સાથે આવ્યા હતા.વિપુલ દિવ્યાંગ  હોવા છતાં ગિરનાર યાત્રા કરે છે.જેથી તેમના મિત્રો તેમનાથી પ્રેરિત થઈ અને દર વર્ષે અલગ અલગ લોકો તેની સાથે જોડાયને આ ગિરનારની યાત્રા કરવા માટે આવે છે.

લાખો શ્રદ્ધાળુ ગિરનાર પર શ્રદ્ધાભેર આવતા હોય છે,આધ્યાત્મિકતા સાથે લોકો મનોરંજન માટે પણ ગિરનાર લોકો આવતા હોય છે,પરંતુ વિપુલના મિત્રો માને છે કે ગિરનાર એ એવી જગ્યા છે કે મનોરંજન માટે નહીં પરંતુ એકવાર જો ગિરનાર તમે આવો તો તમને નવો રસ્તો મળે છે. આ મિત્રોએ એક ગ્રુપ બનાવી અને તેનું નામ જય ગિરનારી ચેરીટેબલ ટ્રસ્ટ રાખ્યું છે. વિપુલના મિત્ર સર્કલ દ્વારા આ ટ્રસ્ટ બનાવી તેમાં દર મહિને રકમ એકઠી કરી લોકોની સેવામાં ખર્ચ કરવામાં આવે છે.

 

Read the Next Article

અમરેલી : ધોબા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા 5 લોકોના SDRF’ની ટીમે રેસક્યું કર્યા...

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

New Update
  • ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત સરકાર સજ્જ

  • રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં તંત્રની કામગીરી

  • કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોચી વળવા તંત્ર કટિબદ્ધ

  • સાવરકુંડલામાં SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી

  • પાણીમાં ફસાયેલા અનેક લોકોના રેસક્યું ઓપરેશન કરાયા

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ ગત મોડી રાતે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતોત્યારે અમરેલી જીલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઇ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છેજ્યારે વરસાદથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા 10 ઇંચ જેટલા વરસાદના પગલે પૂર પ્રકોપથી ધોબા ગામે પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીના પ્રવાહથી ફસાઈ ગયા હતાત્યારે SDRFની ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને 5 માનવ જિંદગીઓ બચાવી હતી.

હજુ પણ અમરેલી રેડઝોનમાં આવતું હોયજેને લઈને આસપાસમાં રાજુલાજાફરાબાદ અને દરિયાઈ કાંઠા વિસ્તારો હોવાથી SDRFની એક 24 જવાનોની ટીમને પીએસઆઈ અધિકારી સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ માનવ જિંદગીઓ બચાવવા SDRF સક્ષમ સાબિત થતી હોય છેત્યારે રેસ્ક્યુ ઓપરેશનો કરી માનવ જિંદગી બચાવવાના અભિગમ સાથે એક બોટહેવી લાઇટકટર મશીનો સહિતની આધુનિક સાધન સામગ્રી સાથે SDRFની ટીમ અમરેલી જિલ્લાના મધ્યબિંદુ સાવરકુંડલામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.