-
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કરાયું આયોજન
-
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત
-
પરિસંવાદમાં રાજ્યપાલએ ચિંતાજનક વાત કહી
-
રાસાયણિક ખેતીથી યુવાનોમાં પ્રજનન ક્ષમતા ઘટી
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતી રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પેસ્ટીસાઈડનો ઉપયોગ આગામી પેઢી માટે ખૂબ જોખમી છે. એટલું જ નહીં, રાસાયણિક ખેતીના કારણે યુવા પેઢીની પ્રજનન ક્ષમતા ઘટી રહી છે. જેના પરિણામે દેશભરમાં કૃત્રિમ ગર્ભાધાન સેન્ટરોની સંખ્યા વધી રહી છે. હવે ભારતના ગલીઓમાં પણ કૃત્રિમ ગર્ભાધાન સેન્ટરો ખુલી ગયા છે. આ દ્રશ્ય આપણને એ વિચારવા મજબૂર કરે છે કે, કૃષિમાં અપનાવેલી રાસાયણિક પદ્ધતિઓ આપણા સમાજ માટે કેટલાય સ્તરે ખતરનાક બની રહી છે,
ત્યારે હવે સૌકોઈએ જાગૃત થવું પડશે અને પેસ્ટીસાઈડનો ઉપયોગ અટકાવવો પડશે તે વાત પર રાજ્યપાલએ ભાર મુક્યો હતો. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાંથી કૃષિ, બાગાયત અને ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, બાગાયત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, તાલુકા કક્ષાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામસેવકો ઉપસ્થિત રહ્યા હતા.