જુનાગઢ : પર્વતારોહણની તાલીમ માટે ગયેલા વિદ્યાર્થીઓ-ઈન્સ્ટ્રક્ટરો પર મધમાખીના ઝુંડનો હુમલો, 35 લોકો ઘાયલ...

જુનાગઢ પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થતાં 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

New Update
  • મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો

  • પર્વતારોહણ તાલીમ માટે ગયેલા લોકો પર મધમાખીઓનો હુમલો

  • વિદ્યાર્થીઓ-ઈન્સ્ટ્રક્ટરો સહિત 100 લોકો પર મધમાખી દ્વારા હુમલો

  • 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

  • તાલીમ બાદ પરત ફરતી વખતે બની મધમાખીના હુમલાની ઘટના

જુનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થતાં 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યના અંતરિયાળ ગામોમાં અવારનવાર ઝેરી મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓ બનતી રહે છેત્યારે જુનાગઢમાં પણ મધમાખીના ઝુંડના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જુનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 94 વિદ્યાર્થીઓ સહિત 9 ઈન્સ્ટ્રક્ટરો મળી 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થયો હતો.

ભવનાથ તળેટી જતાં રસ્તે પાજનાકા પુલ પાસે જોગણીયા ડુંગર પર તાલીમ બાદ પરત ફરતી વખતે આ ઘટના બની હતી. આ ઘટનામાં 35 લોકોને મધમાખીના ઝુંડે ડંખ મારતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

પંચમહાલ : ઘોઘંબામાં કોંગ્રેસના નવનિયુક્ત વરણી કાર્યક્રમમાં અમિત ચાવડાએ બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા

New Update

ઘોઘંબામાં યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ

નવનિયુક્ત હોદ્દેદારોની કરાઈ વરણી

અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકારને ઘેરી

રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની વરણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ વડોદરાના પાદરા પાસે ગંભીર બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા,અને જણાવ્યું હતું કે આ બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ કોઈ રજૂઆતને ધ્યાન પર લેવામાં આવી નથી.

તેમજ બ્રિજ દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા,વધુમાં સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને  રાજીનામુ આપે તેવી માંગ પણ તેઓએ કરી હતી.