જુનાગઢ : પર્વતારોહણની તાલીમ માટે ગયેલા વિદ્યાર્થીઓ-ઈન્સ્ટ્રક્ટરો પર મધમાખીના ઝુંડનો હુમલો, 35 લોકો ઘાયલ...

જુનાગઢ પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થતાં 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

New Update
  • મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો

  • પર્વતારોહણ તાલીમ માટે ગયેલા લોકો પર મધમાખીઓનો હુમલો

  • વિદ્યાર્થીઓ-ઈન્સ્ટ્રક્ટરો સહિત 100 લોકો પર મધમાખી દ્વારા હુમલો

  • 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

  • તાલીમ બાદ પરત ફરતી વખતે બની મધમાખીના હુમલાની ઘટના 

Advertisment

જુનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થતાં 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યના અંતરિયાળ ગામોમાં અવારનવાર ઝેરી મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓ બનતી રહે છેત્યારે જુનાગઢમાં પણ મધમાખીના ઝુંડના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જુનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 94 વિદ્યાર્થીઓ સહિત 9 ઈન્સ્ટ્રક્ટરો મળી 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થયો હતો.

ભવનાથ તળેટી જતાં રસ્તે પાજનાકા પુલ પાસે જોગણીયા ડુંગર પર તાલીમ બાદ પરત ફરતી વખતે આ ઘટના બની હતી. આ ઘટનામાં 35 લોકોને મધમાખીના ઝુંડે ડંખ મારતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment