જુનાગઢ : પર્વતારોહણની તાલીમ માટે ગયેલા વિદ્યાર્થીઓ-ઈન્સ્ટ્રક્ટરો પર મધમાખીના ઝુંડનો હુમલો, 35 લોકો ઘાયલ...

જુનાગઢ પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થતાં 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

New Update
  • મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો

  • પર્વતારોહણ તાલીમ માટે ગયેલા લોકો પર મધમાખીઓનો હુમલો

  • વિદ્યાર્થીઓ-ઈન્સ્ટ્રક્ટરો સહિત 100 લોકો પર મધમાખી દ્વારા હુમલો

  • 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

  • તાલીમ બાદ પરત ફરતી વખતે બની મધમાખીના હુમલાની ઘટના

જુનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થતાં 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યના અંતરિયાળ ગામોમાં અવારનવાર ઝેરી મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓ બનતી રહે છેત્યારે જુનાગઢમાં પણ મધમાખીના ઝુંડના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જુનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 94 વિદ્યાર્થીઓ સહિત 9 ઈન્સ્ટ્રક્ટરો મળી 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થયો હતો.

ભવનાથ તળેટી જતાં રસ્તે પાજનાકા પુલ પાસે જોગણીયા ડુંગર પર તાલીમ બાદ પરત ફરતી વખતે આ ઘટના બની હતી. આ ઘટનામાં 35 લોકોને મધમાખીના ઝુંડે ડંખ મારતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.