જુનાગઢ: શ્રાવણ માસના પ્રારંભે ભવનાથ મંદિર ખાતે ભાવિક ભક્તો ઉમટ્યા,વિવિધ કાર્યક્રમોનું આયોજન

આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા

New Update
જુનાગઢ: શ્રાવણ માસના પ્રારંભે ભવનાથ મંદિર ખાતે ભાવિક ભક્તો ઉમટ્યા,વિવિધ કાર્યક્રમોનું આયોજન

આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા

આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાના ગિરનાર તળેટી ખાતે આવેલ ભવનાથ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ત્યારે અતિ પ્રાચીન ભવનાથ મહાદેવ મંદિર વિશે જો વાત કરવામાં આવે તો આ શિવલિંગ 5000 વર્ષ પુરાણું છે અને સ્વયંભૂ મહાદેવ દ્વારા આ શિવલિંગમાં પોતાની જ્યોતિ પધરાવવામાં આવી હોવાથી કળિયુગમાં પણ આનું અનેરૂ મહત્વ છે.જ્યારે આજથી પ્રારંભ થતાં શ્રાવણ માસના પ્રથમ દિવસે આરતી દર્શનનો લાભ લઈ રહેલા શ્રદ્ધાળુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવનાથ મહાદેવ દરેકને મનોકામના પૂર્ણ કરે છે ત્યારે દરેકે ખાસ અહીંયા દર્શન કરવા આવું જ જોઈએ અને શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રીના મેળા દરમિયાન પણ અહીંયા ભવનાથ મહાદેવ ના દર્શનનું અનેરુ મહત્વ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.