જૂનાગઢ:બામણાસા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન,ઇકો ઝોનનો કરાયો વિરોધ

ખેડૂત મહાપંચાયતમાં જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી

New Update

જૂનાગઢમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન  

બામણાસામાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરાયું આયોજન
ઘેડના પ્રશ્નો બાબતે કરવામાં આવી ચર્ચા 
ઇકો ઝોન બાબતે પણ ખેડૂતોમાં નારાજગી 

સિંહ જંગલ બહાર આવે તે જંગલ ખાતાની નબળાઈ 

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેડૂતોને કનડગતા પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ખાતે ખેડૂત મહાપંચાયતની સભા મળી હતી,આ સભામાં જેમાં ઇકો સેન્સિટિવ ઝોન,ઘેડ વિસ્તારના પ્રશ્નો,નદી પ્રદુષિત સહિતના પ્રશ્નો મુદ્દે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી.અને ખેડૂતોએ એક સુર તેઓના કનડગતા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.અને જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.
આ મહાપંચાયતમાં ખેડૂતોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે સિંહ જંગલ છોડીને માનવ વસ્તી તરફ આવે છે તે જંગલ ખાતાની નબળાઈ છે.ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ખેડૂતોની લાખ રૂપિયાની ભેંસનું મારણ સિંહ કરી જાય છે તો પણ ખેડૂતોએ કોઈ વળતર માગ્યું નથી,આજે ઇકો ઝોન બનાવીને ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા તાજીયા કમિટીનું પાલિકા તંત્રને આવેદન...

અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

New Update
Tajiya Commitee

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તાજીયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતચેરમેન નિલેશ પટેલચીફ ઓફિસર કેશવ કોલડિયાને આવનાર તહેવાર મોહર્રમમાં તાજીયાના જુલુસના રૂટ પર સાફ-સફાઈસ્ટ્રીટ લાઈટરસ્તાઓનું કાર્પેટિંગસંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઈટ લગાવવા તથા દક્ષિણ ગુજરાત વીજકંપનીના કાર્યપાલક ઈજનેરને તાજીયા રૂટ પર આવતા જીઈબીના વાયરો ઊંચા કરવાડીપી સપ્લાય પર માણસો મુકવા તથા સઘન ચેકીંગ માટે એક ટીમ રાખવા જેવા વિવિધ કામોને અનુલક્ષીને આવેદન પત્ર પાઠવાયું હતું.

તાજીયા કમિટીના સેક્રેટરી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કેશહેરમાં 19 મુખ્ય તાજીયા બનશેઅને તા. 05 જુલાઈના રોજ કતલની રાત ગણાતી હોય જેથી શહેરના મુખ્ય માર્ગો પર ધાર્મિક વિધિ પ્રમાણે ઝૂલૂસ નીકળશેજ્યારે તા. 06 જુલાઈના રોજ બપોરથી તાજીયા પોતપોતાના રૂટ પર નીકળશે. જે અંકલેશ્વરના પિરામણ નાકા ખાતે ધાર્મિક રીતિ રિવાજો મુજબ સંપન્ન કરાશેઅને બીજે દિવસે નર્મદા નદીના દક્ષિણ છેડે એમનું વિશર્જન કરવામાં આવશે. જે પ્રસંગે તાજીયા કમિટી પ્રમુખ બક્કો પટેલસેક્રેટરી વસીમ ફડવાલાઉપપ્રમુખ નુરુ કુરેશીકૌસર કુરેશીઅમન પઠાણઈમ્તિયાઝ ઘોણીયાસાકીર મલેકસમીર પઠાણનફીસ મંડપવાલાસિકંદર કડીવાલા હાજર રહ્યા હતા.