જૂનાગઢ:બામણાસા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન,ઇકો ઝોનનો કરાયો વિરોધ
ખેડૂત મહાપંચાયતમાં જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી
ખેડૂત મહાપંચાયતમાં જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી
અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તાજીયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત, ચેરમેન નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયાને આવનાર તહેવાર મોહર્રમમાં તાજીયાના જુલુસના રૂટ પર સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઈટ, રસ્તાઓનું કાર્પેટિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઈટ લગાવવા તથા દક્ષિણ ગુજરાત વીજકંપનીના કાર્યપાલક ઈજનેરને તાજીયા રૂટ પર આવતા જીઈબીના વાયરો ઊંચા કરવા, ડીપી સપ્લાય પર માણસો મુકવા તથા સઘન ચેકીંગ માટે એક ટીમ રાખવા જેવા વિવિધ કામોને અનુલક્ષીને આવેદન પત્ર પાઠવાયું હતું.
તાજીયા કમિટીના સેક્રેટરી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં 19 મુખ્ય તાજીયા બનશે, અને તા. 05 જુલાઈના રોજ કતલની રાત ગણાતી હોય જેથી શહેરના મુખ્ય માર્ગો પર ધાર્મિક વિધિ પ્રમાણે ઝૂલૂસ નીકળશે, જ્યારે તા. 06 જુલાઈના રોજ બપોરથી તાજીયા પોતપોતાના રૂટ પર નીકળશે. જે અંકલેશ્વરના પિરામણ નાકા ખાતે ધાર્મિક રીતિ રિવાજો મુજબ સંપન્ન કરાશે, અને બીજે દિવસે નર્મદા નદીના દક્ષિણ છેડે એમનું વિશર્જન કરવામાં આવશે. જે પ્રસંગે તાજીયા કમિટી પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ નુરુ કુરેશી, કૌસર કુરેશી, અમન પઠાણ, ઈમ્તિયાઝ ઘોણીયા, સાકીર મલેક, સમીર પઠાણ, નફીસ મંડપવાલા, સિકંદર કડીવાલા હાજર રહ્યા હતા.