જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં અઘોરી મ્યુઝિકની ધમાલમાં ભવનાથ ગુંજ્યું,ગરબાની પણ બોલાવી રમઝટ

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

New Update
  • જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન

  • અઘોરી મ્યુઝિકના કલાકરોએ બોલાવી રમઝટ

  • અઘોરી મ્યુઝિકની ધમાલમાં ભવનાથ ગુંજ્યું 

  • સોરઠની ધરોહરને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ થકી લોકો થયા મંત્રમુગ્ધ

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળામાં ત્રીજા દિવસે સાંસ્કૃતિક મંચ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો લોકગીતદેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

હિપ હોપ રેપ અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિકને જોડીને પોતાનું અલગ મ્યુઝિક બનાવનાર 'અઘોરી મ્યુઝિકબેન્ડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થતું જાય છે. ત્યારે આ બેન્ડે ભવનાથમાં પરફોર્મ કરી યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધાને દીવાના કરી દીધા હતા. સાથે જ લોકોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ પણ બોલાવી હતી.

અઘોરી મ્યુઝિકના કે.ડીએ જણાવ્યું હતું કે અમારા મ્યુઝિક ગ્રુપનું નામ અઘોરી એટલા માટે રાખ્યું છે કે અમે સંગીત માટે અઘોરી છીએ. જ્યારે અમે સંગીત બનાવતા હોઈએ ત્યારે અમને બસ એમ જ થાય છે કે સંગીત જ અમારા માટે બધું છે. એ સમયે અમને બીજું કશું જ દેખાતું નથી. જેવી રીતે અઘોરી શિવનું પાંચમું રૂપ કહેવાય છે અને પોતાની સાધનામાં લીન હોય છે. અમે પણ શિવના ભક્ત છીએ અને એટલા માટે જ અમે અમારું નામ અઘોરી મ્યુઝિક રાખ્યું છે કારણકે અમે સંગીત માટે અઘોરી છીએ.

 

Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.  

એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના  235 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં  33 હોસ્પિટલમાં દાખલ છે.  જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.