જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં અઘોરી મ્યુઝિકની ધમાલમાં ભવનાથ ગુંજ્યું,ગરબાની પણ બોલાવી રમઝટ

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

New Update
  • જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન

  • અઘોરી મ્યુઝિકના કલાકરોએ બોલાવી રમઝટ

  • અઘોરી મ્યુઝિકની ધમાલમાં ભવનાથ ગુંજ્યું 

  • સોરઠની ધરોહરને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ થકી લોકો થયા મંત્રમુગ્ધ

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળામાં ત્રીજા દિવસે સાંસ્કૃતિક મંચ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો લોકગીતદેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

હિપ હોપ રેપ અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિકને જોડીને પોતાનું અલગ મ્યુઝિક બનાવનાર'અઘોરી મ્યુઝિકબેન્ડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થતું જાય છે. ત્યારે આ બેન્ડે ભવનાથમાં પરફોર્મ કરી યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધાને દીવાના કરી દીધા હતા. સાથે જ લોકોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ પણ બોલાવી હતી.

અઘોરી મ્યુઝિકના કે.ડીએ જણાવ્યું હતું કે અમારા મ્યુઝિક ગ્રુપનું નામ અઘોરી એટલા માટે રાખ્યું છે કે અમે સંગીત માટે અઘોરી છીએ. જ્યારે અમે સંગીત બનાવતા હોઈએ ત્યારે અમને બસ એમ જ થાય છે કે સંગીત જ અમારા માટે બધું છે. એ સમયે અમને બીજું કશું જ દેખાતું નથી. જેવી રીતે અઘોરી શિવનું પાંચમું રૂપ કહેવાય છે અને પોતાની સાધનામાં લીન હોય છે. અમે પણ શિવના ભક્ત છીએ અને એટલા માટે જ અમે અમારું નામ અઘોરી મ્યુઝિક રાખ્યું છે કારણકે અમે સંગીત માટે અઘોરી છીએ.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.