જુનાગઢ: વંથલીમાં ચાલુ શાળા દરમ્યાન મોટી દુર્ઘટના, શાળામાં છતના નળિયા તૂટી પડતા વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત
દુર્ઘટનામાં કુલ છ વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હતી.બીજા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
BY Connect Gujarat Desk11 July 2023 12:34 PM GMT
X
Connect Gujarat Desk11 July 2023 12:34 PM GMT
જુનાગઢ જિલ્લાના વંથલીમાં કન્યાશાળામાં ચાલુ શાળા દરમ્યાન વિદ્યાર્થિનીઓ પર છતના નળિયા તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી જુનાગઢ જિલ્લાના વંથલીમાં આજે કન્યાશાળા ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી..ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીઓ પર છતના નળિયા પડવાની ઘટના બની હતી.આ દુર્ઘટનામાં કુલ છ વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હતી.બીજા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.. કોઈને માથાના ભાગ બીજા પહોંચી હતી તો કોઈના પગના ભાગે આ દુર્ઘટનામાં ઈજા પહોંચતી હતી.આ દુર્ઘટનાને લઈને વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Next Story