જુનાગઢ : ઐતિહાસિક નગરીના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે નીકળી બાઇક રેલી...

ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી

New Update
જુનાગઢ : ઐતિહાસિક નગરીના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે નીકળી બાઇક રેલી...

ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઇક રેલીમાં જિલ્લા કલેક્ટર રચિત રાજ સહિત 170થી વધુ બાઇક સવારો જોડાયા હતા.

ટુરિઝમને પ્રમોટ તેમજ સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી ગુંજતો કરવા "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે જુનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે, ગિરનાર પર્વત, ગીરનું જંગલ, એશિયાટીક લાયન, રોપ-વે, અંબાજી મંદિર અને સાસણ ગીર સહિત ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સહિતના જગ વિખ્યાત સ્થળોથી જુનાગઢ જિલ્લો સમૃધ્ધ છે, ત્યારે તમામ લોકોના સમન્વય થકી જુનાગઢને પ્રવાસન હબ બનાવવા સૌએ સહિયારો પુરૂષાર્થ સાથે જુનાગઢના વિકાસમાં સહભાગી બનવાનું છે.

"મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય નીકળેલી બાઇક રેલી કલેક્ટર કચેરીથી કાળવા ચોક, ગીરનાર દરવાજા, ભવનાથ મંદિર થઇ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ભવનાથ ખાતે સમાપન કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા કલેક્ટર રચિત રાજ, અધિક નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણીયા, જુનાગઢ પ્રાંત અધિકારી અંકિત પન્નુ, મિશન સફાઇ વિઝન ટુરીઝમના સંસ્થાપક ભરત બોરીચા સહિત વન વિભાગ અને પોલીસ ખાતાના અધિકારીઓ રેલી તેમજ સફાઇ અભિયાનમાં જોડાયા હતા.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.

Latest Stories