જુનાગઢ : કોરોના રસીકરણ 100% પૂર્ણ કરવા બોલિવુડ સ્ટાર અને ક્રિકેટરોના બન્યા ખોટા વેક્સિન સર્ટિફિકેટ્સ

જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે ભળતા નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.

New Update
જુનાગઢ : કોરોના રસીકરણ 100% પૂર્ણ કરવા બોલિવુડ સ્ટાર અને ક્રિકેટરોના બન્યા ખોટા વેક્સિન સર્ટિફિકેટ્સ

જુનાગઢ જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે ભળતા નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. જેમાં બોલિવુડ સ્ટાર સહિત ક્રિકેટરોના ખોટાં વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યા હોવાનું સામે આવતા જિલ્લા વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે.

Advertisment

જુનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીનો 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કરવા માટે જયા બચ્ચન, મહિમા, જુહી ચાવલા, મોહમ્મદ કૈફ સહિતના બોલિવુડ સ્ટાર અને ક્રિકેટરોના ખોટાં વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યા હોવાનું બહાર આવ્યું છે.

કોરોના રસીકરણનાં બોગસ સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યાં છે, જેમાં જુહી ચાવલાએ મોટી મોણપરી ગામે, મહંમદ કૈફે પ્રેમપરા સબ સેન્ટર ખાતે, ત્યારબાદ જયા બચ્ચન અને મહિમા ચૌધરીએ મેંદપરા પીએચસીમાં રસી લીધાના પ્રમાણપત્ર ઈસ્યુ થયાં છે. આ તમામ લોકોની જન્મ તા 1 જાન્યુઆરી અને સાલ અલગ અલગ લખવામાં આવી છે. અનેક જગ્યાએ રસીકરણની કામગીરી કાગળ ઉપર કરવામાં આવી હતી. જેમાં ગમે તે વ્યક્તિનું નામ લખીને રસી અપાય હોવાની કાર્યવાહી કરાય હતી. આવાં સર્ટિફિકેટ અનેક લોકોનાં ઈસ્યુ થયાં છે. એવા સંજોગોમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો ખોટાં સર્ટિફિકેટ જ નહીં, કોરોનાની કીમતી રસીને નાશ કરવાનું કૌભાંડ પણ બહાર આવી શકે તેમ છે. તો બીજી તરફ, આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આ શક્ય નથી. અગાઉ જેમણે આવાં ખોટાં સર્ટિફિકેટ આપ્યાં છે, તેમની સામે પગલાં લેવાયાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે, સ્થાનિક લોકોને રસી માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, ત્યારે જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓના નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દેવામા આવ્યા છે તે શક્ય નથી.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment