Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાંથી રૂ. 20 લાખની તુવેરદાળનો જથ્થો ગાયબ, વેપારી એસોસિએશને કરી તંત્રને રજૂઆત...

વાસદ મોકલવામાં આવેલ તુવેરદાળનો જથ્થો ગાયબ થતા વેપારીને મોટી નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે..

જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાંથી રૂ. 20 લાખની તુવેરદાળનો જથ્થો ગાયબ, વેપારી એસોસિએશને કરી તંત્રને રજૂઆત...
X

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવેલ ભગવતી ટ્રેડિંગમાંથી રૂપિયા 20 લાખની તુવેરદાળનો જથ્થો ગાયબ થતાં વેપારી સંગઠન દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવેલ ભગવતી ટ્રેડિંગમાંથી રૂપિયા 20 લાખની તુવેરદાળનો જથ્થો ગાયબ થયો હોવાની વિગત મળી રહી છે..

ત્યારે વાસદ મોકલવામાં આવેલ તુવેરદાળનો જથ્થો ગાયબ થતા વેપારીને મોટી નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. અંદાજે 500 કટ્ટા તુવેર દાળનો જથ્થો ગાયબ થયા હોવાની ફરીયાદ નોંધાવી હોવાનું વેપારીએ જણાવ્યુ હતું. આ મામલે યાર્ડ વેપારી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે કેમ, તે હવે જોવું રહ્યું.

Next Story