Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકના “શ્રી ગણેશ”

જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની આવક શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓએ કેરીની હરાજી માટેના શ્રી ગણેશ કર્યા છે.

X

જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની આવક શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓએ કેરીની હરાજી માટેના શ્રી ગણેશ કર્યા છે.

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા એવી ગીરની કેસર કેરીની આવક શરૂ થતાં કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી છે. વેપારીઓ પણ કેરીની હરાજી માટે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં કેરીના 500થી 15000 સુધીના ભાવોમાં કેરીની હરાજી કરવામાં આવી હતી. તો બીજી તરફ, આંબાના બગીચાવાળા ખેડૂતોને આ વખતે માવઠાથી 20 ટકા જેટલી અસર થઈ છે, જ્યારે કેટલાકક ખેડૂતોને પાકમાં સારું ઉત્પાદન થયું છે, જ્યાં માવઠા થયા છે, ત્યાં કેરીના પાકમાં અમુક અંસે નુકસાની પણ થઈ છે, ત્યારે આગામી દિવસોમાં કેરી ની પુષ્કળ આવક થશે અને કેરીના રસિયાઓ કેરી ખાવાનો આનંદ લઇ શકશે. તો બીજી તરફ, ખેડૂતોને પણ કેરીનો સારો ભાવ મળી રહેશે તેવી આશાઓ હાલ સેવાઈ રહી છે.

Next Story