New Update
/connect-gujarat/media/post_banners/2f3f7f65a8c600c7a037db6a1caff07570b7b497e70cc95f7bd1dd6e9cf5e54d.webp)
ભારે વરસાદે જુનાગઢ જીલ્લામાં તારાજી સર્જી છે. ત્યારે જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. કડિયાવાડ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીક હોવાથી 4 લોકો અંદર દટાયા હોવાની શંકા છે. અત્યારે પોલીસ તંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. દાતાર રોડ પર એક માળનું મકાન ધરાશાયી થઈ છે.
આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળે હાલ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેસીબીની મદદથી હાલ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે.
Latest Stories