જુનાગઢ : ઘેડ પંથકના 40 ગામોને પૂરના પાણીથી બચાવવા પ્રોજેક્ટનો અમલ, સર્વેની કામગીરી શરૂ કરાય...

જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

New Update

જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છેજેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકની 2 મોટી ઓઝત અને મધુવંતી નદીનાં પાણી ભેગા થાય છે. આ વિસ્તાર મોટે ભાગે સપાટ વિસ્તાર છે. એટલે સ્વાભાવિક છે કેઅહી નદીઓનાં પાણી વધારે આવેઅને એટલે ખેતરમાં ફેલાઈ જાય. તો બીજી તરફદરિયામાંથી પણ સામેથી પાણી આવે એટલે એમાં પાણી જવા કેપાણીનો નિકાલ કરવામાં તકલીફ થાય છે. ઉનાળામાં પીવાનું પાણી મળે નહીંઅને ચોમાસામાં વધારે પાણી આવે એ સમસ્યાનું લાંબા ગાળા માટે સમાધાન કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આ માટે સિંચાઈ વિભાગમાંથી કન્સલ્ટન્સી નક્કી થઈ છેઅને ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છેજેને લઈ સર્વેની કામગીરી માટે આદેશ અપાયો છે. જુનાગઢના ઘેડ વિસ્તારની સમસ્યા માટે કાયમી નિરાકરણ લાવવા અને 6-7 મહિનામાં સમગ્ર પ્લાન તૈયાર કરવા માટે પણ તંત્રને સૂચના આપવામાં આવી છે.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.