જુનાગઢ : માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ કેમ રચ્યું હતું તરખટ..!

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી આરોપી નીકળતા પોલીસે ધરપકડ કરી છે.

New Update
જુનાગઢ : માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ કેમ રચ્યું હતું તરખટ..!

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી આરોપી નીકળતા પોલીસે ધરપકડ કરી છે. વંથલી કોર્ટમાં રૂ. 15 લાખ ભરવાના હોય જેથી તરખટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જુનાગઢ જિલ્લાના માણાવદર પોલીસ મથકમાં ગત તા. 13 માર્ચના રોજ રૂ. 9 લાખ 31 હજારની 3 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હોવાની ફરિયાદ દિનેશ કાલરીયાએ નોંધાવી હતી. જેમાં ફરિયાદી દિનેશ કાલરીયા કપાસનું પેમેન્ટ સનલાઈટ કોટેક્સ મિલમાં આપવા જતી વેળા રસ્તામાં 3 અજાણ્યા શખ્સોએ તેમના પાસે રહેલ 9 લાખ 31 હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે માણાવદર પોલીસે રસ્તામાં રહેલા વિવિધ સીસીટીવી ફૂટેજ ચેક કરવા સાથે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિસંગતતા જણાતા આખરે ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ફરિયાદી દિનેશ કાલરીયાને વંથલી કોર્ટમાં આવનાર ચુકાદામાં રૂ. 15 લાખ જેટલી રકમ ભરવાની હોવાથી તેણે સમગ્ર લૂંટનું તરખાટ રચ્યું હોવાની કબૂલાત આપી હતી, ત્યારે હાલ તો પોલીસને ગુમરાહ કરતા આરોપી દિનેશ કાલરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દિનેશ કાલરીયા માણાવદર નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યો છે, અને નગરપાલિકાનો જ કેસ વંથલી કોર્ટમાં ચાલતો હોવાથી આ સમગ્ર તરખાટ રચી પોલીસને ચકડોળે ચઢાવી હતી.

Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.