જુનાગઢ: સાસણમાં વેકેશનના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો, સ્થાનિકોને મળી રહી છે રોજગારી

ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે વાલીઓ વિદ્યાર્થીઓ સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે

New Update
જુનાગઢ: સાસણમાં વેકેશનના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો, સ્થાનિકોને મળી રહી છે રોજગારી

જૂનાગઢમાં સાસણમાં વેકેશનના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. મોટી સંખ્યામાં લ.ઓકો સિંહ દર્શન માટે ઉમટી રહ્યા છે જૂનાગઢના સાસણમાં 500થી વધારે સિંહો વસવાટ કરે છે અને 300થી વધારે પક્ષીઓની જાતિ પણ આવેલી છે.સાસણમાં સિંહદર્શન માટે ઓનલાઈન પરમીટની સુવધા ઉપલબ્ધ છે અહી દેવળીયા સફારી પાર્ક અને ગીર નેશનલ પાર્ક સેન્ચૂરીમાં સિંહ દર્શન કરી શકાય છે.

એશિયા ખંડમાં માત્ર સાસણમાં જ સિંહો જોવા મળે છે જેમાં દેશ-વિદેશના ટુરિસ્ટો સિંહ દર્શન માટે આવતા હોય ખાસ કરીને દિવાળી વેકેશન,થર્ટી ફર્સ્ટ ,હોળી ધુળેટી જેવા ફેસ્ટિવલમાં લાખોની સંખ્યામાં ટૂરિસ્ટો સાસણની મુલાકાત કરે છે અને સિંહ દર્શન જંગલની મજા માણતા હોય છે. હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે વાલીઓ વિદ્યાર્થીઓ સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.