જુનાગઢ : ભાજપમાં અંદરોઅંદરની ખેંચતાણ..!, જે 2024 સુધીમાં બહાર આવશે : કોંગ્રેસ નેતા અમિત ચાવડા

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જુનાગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
જુનાગઢ : ભાજપમાં અંદરોઅંદરની ખેંચતાણ..!, જે 2024 સુધીમાં બહાર આવશે : કોંગ્રેસ નેતા અમિત ચાવડા

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જુનાગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમિત ચાવડા પ્રજાના પડતર પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

જુનાગઢ ખાતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચ સભામાં સંબોધન કર્યું હતું. જેમાં વિધાનસભા વિસ્તારના લોકોની સમસ્યા અને રજૂઆતોને તેમણે રૂબરૂમાં સાંભળી વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવા અને સરકાર નહીં માને તો જન આંદોલનના માર્ગે પણ જન મંચના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું. જુનાગઢ ખાતે જનમંચ સંબોધતા અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાનો અવાજ એટલે કોંગ્રેસનો જન મંચ કાર્યક્રમ. લોકસભામાં પોતાના સાંસદો પક્ષ પલટો ન કરે તે માટે શું કરશો એના જવાબમાં અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, વિજય રૂપાણી સહિતના બીજેપીના આલા નેતાઓની શું હાલત છે તે તમે જુઓ જ છો. ભ્રષ્ટાચારના કેસ એમની સામે એમના જ લોકો ખોલી રહ્યા છે. કોંગ્રેસમાંથી ગયેલાની હાલત શું છે એ પણ જુએ છે લોકો, ત્યારે અંદરો અંદરની ખેંચતાણથી ભાજપ હવે ત્રસ્ત છે. તો બીજી તરફ, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ગાંધીજીની દાંડી યાત્રા સાથે સરખાવતાં અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, અંગ્રજોના સમયમાં ભારતની સંપતિ લૂંટીને ઇંગ્લેન્ડ લઇ જતા હતા. અત્યારે એ જ રીતે લલિત મોદી અને વિજય માલ્યા જેવા લોકો લઇ જઈ રહ્યા છે. જે લોકો અંગ્રેજથી કમ નથી. આ સાથે જ ધીરેન્દ્ર સ્વામીની હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, હિંદુરાષ્ટ્ર છે જ. હિન્દુ કે જાતિ ટિપ્પણી કરતા આપને સૌ પહેલા ભારતીય છીએ. પહેલા આપણી મૂળભૂત સમસ્યાઓ હલ કરવી જોઈએ. ધર્મના નામે જાતિવાદ ન ફેલાવવવો જોઈએ.

Read the Next Article

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા

New Update
shobhnaben baraiya

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેન જલ્દી શરૂ થાય તેમજ હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના અસારવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છેત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધુરી છેત્યારે શુક્રવારે સાબરકાંઠાના સાંસદે હિંમતનગરમાં રેલ્વેના અમદાવાદવડોદારા અને અજમેર ડીવીઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

જેના પ્રત્યુતરમાં રેલ્વેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ગમે ત્યારે અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

હિંમતનગર ખાતે યોજાયેલ રેલ્વે અધિકારીઓે સાથેની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયારમણલાલ વોરાજિલ્લા કલેકટર નારાણયસીંગ સાંદુ સહિત અન્ય અધિકારીઓ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલ્વે તંત્ર સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટીબધ્ધ છેત્યારે જલ્દીથી અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે.

જે ટૂંક સમયમાં શરૂ થવાની શકયતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડીવીઝનના સિવિલ વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફે કરવામાં આવ્યા હતા. જેથી આગામી સમયમાં સાંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલ્વેના અધિકારીઓ સત્વરે ડિવીઝન મેનેજરને સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો.

તો બીજી તરફહિંમતનગરઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલ્વે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજુ કરાઈ હતી. જે સત્વરે પૂર્ણ કરવા માટે રેલ્વે તંત્ર કટીબધ્ધ છેતેવું કહેવાયું હતું. સાથો સાથ પ્રર્વતમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યાસમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજુઆત કરી હતી.