જુનાગઢ : માર્કેટિંગ યાર્ડ ઘઉંની મબલક આવકથી ઉભરાયું,ખેડૂત તેમજ વેપારીઓને ટોકન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો

જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને આશીર્વાદ સમાન સાબિત થયું છે ત્યારે દિવસે અને દિવસે ખેડૂતો પોતાનો માલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો વધુ આગ્રહ રાખી રહ્યા છે

New Update
  • માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક

  • ઘઉંના 35000 કટાની આવક નોંધાઈ

  • માર્કેટિંગ યાર્ડમાં અન્ય પાકોનો પણ ધસારો

  • ટોકન મુજબ મધ્યરાત્રિથી ઘઉંની આવક લેવાશે

  • યાર્ડમાં ખેડૂત અને વેપારીઓનો જમાવડો જામ્યો

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના 35,000 કટાની આવક સાથે અન્ય પાકોનો પણ ધસારો જોવા મળ્યો છેજેના કારણે મધ્યરાત્રિના 12 વાગ્યાથી સવાર સુધી ટોકન મુજબ ઘઉંની આવક લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને આશીર્વાદ સમાન સાબિત થયું છે ત્યારે દિવસે અને દિવસે ખેડૂતો પોતાનો માલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો વધુ આગ્રહ રાખી રહ્યા છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 35,000 ઘઉંના કટ્ટાની આવક નોંધાઇ છે. 

તેમજ હાલ ઘઉં,તુવેર,ધાણા,ચણાની ખૂબ જ આવક થઈ રહી છે.ત્યારે અંદાજે 90,000 મણ ઘઉંની આવક તેમજ 7200 જેટલા ચણાના કટ્ટા તુવેરના 10,000 કટ્ટાની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાય છે.

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતાની સાથે જ બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંની આવક થવા પામી છે.જેના કારણે ઘઉંની આવક હાલ બંધ કરેલ છે. ત્યારે યાર્ડમાં આજે રાત્રે 12:00 વાગ્યા થી સવાર સુધી ઘઉંની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

આ છ કલાક દરમિયાન જે પણ ઘઉંની આવક થશે તે આવતીકાલે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરવામાં આવશે. અને હરાજી પૂર્ણ થયા બાદ ફરી જો જગ્યા હશે તો નિર્ણય કરી ઘઉંની આવક શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

#Farmer #Junagadh marketing yard #APMC #Junagadh APMC #Junagadh Farmer
Latest Stories
Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષ...

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.