જુનાગઢ : માર્કેટિંગ યાર્ડ ઘઉંની મબલક આવકથી ઉભરાયું,ખેડૂત તેમજ વેપારીઓને ટોકન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો

જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને આશીર્વાદ સમાન સાબિત થયું છે ત્યારે દિવસે અને દિવસે ખેડૂતો પોતાનો માલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો વધુ આગ્રહ રાખી રહ્યા છે

New Update
  • માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક

  • ઘઉંના 35000 કટાની આવક નોંધાઈ

  • માર્કેટિંગ યાર્ડમાં અન્ય પાકોનો પણ ધસારો

  • ટોકન મુજબ મધ્યરાત્રિથી ઘઉંની આવક લેવાશે

  • યાર્ડમાં ખેડૂત અને વેપારીઓનો જમાવડો જામ્યો  

Advertisment

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના 35,000 કટાની આવક સાથે અન્ય પાકોનો પણ ધસારો જોવા મળ્યો છેજેના કારણે મધ્યરાત્રિના 12 વાગ્યાથી સવાર સુધી ટોકન મુજબ ઘઉંની આવક લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને આશીર્વાદ સમાન સાબિત થયું છે ત્યારે દિવસે અને દિવસે ખેડૂતો પોતાનો માલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો વધુ આગ્રહ રાખી રહ્યા છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 35,000 ઘઉંના કટ્ટાની આવક નોંધાઇ છે. 

તેમજ હાલ ઘઉં,તુવેર,ધાણા,ચણાની ખૂબ જ આવક થઈ રહી છે.ત્યારે અંદાજે 90,000 મણ ઘઉંની આવક તેમજ 7200 જેટલા ચણાના કટ્ટા તુવેરના 10,000 કટ્ટાની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાય છે.

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતાની સાથે જ બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંની આવક થવા પામી છે.જેના કારણે ઘઉંની આવક હાલ બંધ કરેલ છે. ત્યારે યાર્ડમાં આજે રાત્રે 12:00 વાગ્યા થી સવાર સુધી ઘઉંની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

આ છ કલાક દરમિયાન જે પણ ઘઉંની આવક થશે તે આવતીકાલે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરવામાં આવશે. અને હરાજી પૂર્ણ થયા બાદ ફરી જો જગ્યા હશે તો નિર્ણય કરી ઘઉંની આવક શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

#Farmer #Junagadh APMC #APMC #Junagadh marketing yard #Junagadh Farmer
Advertisment
Latest Stories
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ...

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment