જુનાગઢ : હવે, ખાખી કરશે સિંહોની સુરક્ષા, જુઓ કેમ જંગલ વિસ્તારમાં SRPના જવાનો તૈનાત કરાયા..!

જુનાગઢમાં વનકર્મીઓ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે,

New Update
જુનાગઢ : હવે, ખાખી કરશે સિંહોની સુરક્ષા, જુઓ કેમ જંગલ વિસ્તારમાં SRPના જવાનો તૈનાત કરાયા..!

જુનાગઢમાં વનકર્મીઓ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે, ત્યારે હવે જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે એસઆરપીના જવાનોને હવાલો સોંપવામાં આવ્યો છે.

રાજ્યમાં વન વિભાગના વનપાલ, વનરક્ષક સહિતના કર્મચારીઓ ગ્રેડ-પે, રજા-પગાર તેમજ પોલીસને આપવામાં આવેલ લાભો જેવા લાભો વન વિભાગના કર્મચારીઓને આપવા સહિતની માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે, ત્યારે હાલ જંગલ અને વન્યપ્રાણી અને તેમાં પણ ખાસ કરીને સિંહોની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે. તેવામાં હવે વન વિભાગ દ્વારા મહત્વના નિર્ણય સાથે પોલીસની મદદ લેવામાં આવી છે. પ્રથમવાર જંગલની સુરક્ષામાં એસઆરપીના જવાનો તૈનાત રહેશે. ગાંધીનગરથી 2 ટીમ ફાળવાતા રાજકોટ અને ગોંડલથી SRP જવાનોની ટુકડી જુનાગઢ ખાતે આવી પહોચી હતી. આ બન્ને ટીમો જુનાગઢ અને અમરેલી જિલ્લાના જંગલોમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં આવેલ વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવશે.

Read the Next Article

ભરૂચ: શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીના નામની જાહેરાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનની સંરચના કરવામાં આવી છે જેમાં રાજ્યના જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.

New Update
IMG-20250624-WA0024

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનની સંરચના કરવામાં આવી છે જેમાં રાજ્યના જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમ અમદાવાદીના નામની જાહેરાત કરવામાં આવી છે. 

સલીમ અમદાવાદી છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે અને તેઓ નગરસેવક તરીકે ચૂંટાઈને આવે છે ત્યારે શીર્ષ નેતૃત્વ દ્વારા તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાના નામની પણ જાહેરાત કરાઈ હતી