જૂનાગઢ:રેલવેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતા બનાવટી આર્મી મેનની પોલીસે કરી ધરપકડ

પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી હતી. અને નોકરી માટે રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.

New Update

જૂનાગઢમાં રેલવેમાં નોકરીના નામે છેતરપિંડી

નોકરીવાંચ્છુ યુવક બન્યો છેતરપિંડીનો ભોગ

ભેજાબાજે આર્મીમાં કેપ્ટન હોવાની આપી હતી ખોટી ઓળખ

રેલવેમાં લોકો પાયલોટની નોકરી માટે આપી હતી લાલચ

પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ 

 

 જૂનાગઢમાં પોતાની ઓળખ આર્મીના કેપ્ટન તરીકે આપી છેતરપિંડી આચરતા ભેજાબાજની પોલીસે ધરપકડ કરી હતી.રેલવેમાં નોકરીની લાલચ આપીને રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.

જુનાગઢના દિવ્યેશ ભૂતિયાને એક ભેજાબાજનો ભેટો થયો હતો,જેમાં પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી હતી.પ્રવીણ સોલંકીએ પોતાની વાકછટાથી દિવ્યેશને  પોતાના વિશ્વાસમાં લઇ લીધો હતો.અને નોકરી માટે રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.

જોકે સમયસર રેલવેમાં નોકરી અંગેની કોઈ જ કાર્યવાહી ન થતા દિવ્યેશ દ્વારા અનેકવાર પ્રવીણ સોલંકીની પૂછપરછ કરી હતી,જોકે તેમ છતાં પ્રવીણ સોલંકીએ કોઈ જ યોગ્ય ઉત્તર ન આપતા દિવ્યેશને પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અણસાર આવી ગયો હતો,અને આ અંગે જૂનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે તેની ફરિયાદને આધારે કોડીનાર તાલુકાના પાંચ પીપડવા ગામના પ્રવીણ સોલંકીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં આરોપી બેરોજગાર હોવાથી અગાઉ આર્મી કેમ્પમાં લેબર વર્ક કામ કરતો હતો,અને આર્મી જવાનો અને અધિકારીઓની કાર્યપદ્ધતિથી વાકેફ થયો હતો,આરોપીએ આર્મીના કેપ્ટનની રેન્કનો યુનીફોર્મ મેળવી કેપ્ટન તરીકેના ખોટા આર્મીનુ કેન્ટીન કાર્ડ અને એન.એસ.એ.નુ ઓળખ કાર્ડ બનાવ્યું હતું.

અને પોતે આર્મીમાં કેપ્ટન તરીકે નોકરી કરતો હોય અને હાલ સંસદ ભવનમાં નોકરી કરતો હોવાનું જણાવી રેલવેમાં અલગ-અલગ વિભાગોમાં લોકો પાયલોટ તથા અલગ-અલગ નોકરી અપાવવાની લાલચ આપતો હતો.

Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.