જૂનાગઢ:રેલવેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતા બનાવટી આર્મી મેનની પોલીસે કરી ધરપકડ

પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી હતી. અને નોકરી માટે રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.

New Update

જૂનાગઢમાં રેલવેમાં નોકરીના નામે છેતરપિંડી

નોકરીવાંચ્છુ યુવક બન્યો છેતરપિંડીનો ભોગ

ભેજાબાજે આર્મીમાં કેપ્ટન હોવાની આપી હતી ખોટી ઓળખ

રેલવેમાં લોકો પાયલોટની નોકરી માટે આપી હતી લાલચ

પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ 

જૂનાગઢમાં પોતાની ઓળખ આર્મીના કેપ્ટન તરીકે આપી છેતરપિંડી આચરતા ભેજાબાજની પોલીસે ધરપકડ કરી હતી.રેલવેમાં નોકરીની લાલચ આપીને રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.

જુનાગઢના દિવ્યેશ ભૂતિયાને એક ભેજાબાજનો ભેટો થયો હતો,જેમાં પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી હતી.પ્રવીણ સોલંકીએ પોતાની વાકછટાથી દિવ્યેશને  પોતાના વિશ્વાસમાં લઇ લીધો હતો.અને નોકરી માટે રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.

જોકે સમયસર રેલવેમાં નોકરી અંગેની કોઈ જ કાર્યવાહી ન થતા દિવ્યેશ દ્વારા અનેકવાર પ્રવીણ સોલંકીની પૂછપરછ કરી હતી,જોકે તેમ છતાં પ્રવીણ સોલંકીએ કોઈ જ યોગ્ય ઉત્તર ન આપતા દિવ્યેશને પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અણસાર આવી ગયો હતો,અને આ અંગે જૂનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે તેની ફરિયાદને આધારે કોડીનાર તાલુકાના પાંચ પીપડવા ગામના પ્રવીણ સોલંકીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં આરોપી બેરોજગાર હોવાથી અગાઉ આર્મી કેમ્પમાં લેબર વર્ક કામ કરતો હતો,અને આર્મી જવાનો અને અધિકારીઓની કાર્યપદ્ધતિથી વાકેફ થયો હતો,આરોપીએ આર્મીના કેપ્ટનની રેન્કનો યુનીફોર્મ મેળવી કેપ્ટન તરીકેના ખોટા આર્મીનુ કેન્ટીન કાર્ડ અને એન.એસ.એ.નુ ઓળખ કાર્ડ બનાવ્યું હતું.

અને પોતે આર્મીમાં કેપ્ટન તરીકે નોકરી કરતો હોય અને હાલ સંસદ ભવનમાં નોકરી કરતો હોવાનું જણાવી રેલવેમાં અલગ-અલગ વિભાગોમાં લોકો પાયલોટ તથા અલગ-અલગ નોકરી અપાવવાની લાલચ આપતો હતો.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.