જુનાગઢ : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા રાજકીય ગરમાવો, ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા

જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા ખૂબ જ ઉહાપોહ મચ્યો છે. ક્રોસ વોટીંગ કરનારા ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા છે.

New Update
જુનાગઢ : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા રાજકીય ગરમાવો, ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા

જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા ખૂબ જ ઉહાપોહ મચ્યો છે. ક્રોસ વોટીંગ કરનારા ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા છે.

ગત 18મી જુલાઈએ યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટિંગ કરવાને મામલે રાજકારણ ગરમાયું છે. તેમાં પણ વિસાવદરના ધારાસભ્ય અને ખેડૂતના નેતા ગણાતા હર્ષદ રીબડીયાએ પણ ક્રોસ વોટિંગ કર્યા હોવાના આક્ષેપ થયા છે. જે મામલે તેના જ વિસ્તારના ગામડાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે અને ખેડૂત સાથે ગદ્દારી કરનાર લોકોએ મત માગવા ગામમાં આવવું નહીં તેવા બેનરો લાગતા રાજકારણ ગરમાયુ છે. ભેસાણ તાલુકાના સુખપુર ખારચિયા, જૂનાગઢનું વિજાપુર સહિતના ગામડાઓમાં બેનર લગાવવામાં આવ્યા છે..આ બેનરો કોના દ્વારા લગાવવામાં આવી છે તે સ્પષ્ટતા થઈ નથી પરંતુ ગામમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.