જૂનાગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં 'વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે'ની ઉજવણી સાથે સિંહ દર્શન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓએ જૂનાગઢના સાસણ ગીરમાં ' વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે' ઉજવ્યો છે.

New Update
  • પીએમ મોદીનો ગુજરાતમાં ત્રીજો દિવસ

  • સાસણ ગીરની લીધી મુલાકાત

  • વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેની કરી ઉજવણી

  • સિંહ દર્શનમાં પીએમ મોદીનો જોવા મળ્યો અલગ અંદાજ

  • પીએમ મોદીએ 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું કર્યું લોન્ચિંગ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓએ જૂનાગઢના સાસણ ગીરમાંવર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેઉજવ્યો છે. અને પીએમ મોદીએ સાસણ ગીર ખાતે આવેલી જંગલ સફારીની મુલાકાત લીધી છે.આ મુલાકાતમાં તેમનો અલગ અંદાજ જોવા મળ્યો છે.

આજે 3 માર્ચના વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંહ દર્શન કર્યું હતું. જૂનાગઢના સાસણ ખાતે પીએમ મોદીએ જંગલ સફારીની મુલાકાત લીધી હતી. અહીં પીએમ મોદી અલગ અંદાજમાં દેખાયા હતા. પીએમ મોદીએ જંગલ સફારીની મજા માણતા ફોટોગ્રાફી પણ કરી છે. આજે 3 માર્ચે વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે હોદ્દાની રૂએ નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેવા સાસણ આવ્યા હતા.જેમાં રવિવારે અહીં તેઓ 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ કર્યું છે. ગુજરાતમાં વધનારી સિંહોની વસ્તીને જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં નિયંત્રણદેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કર્યું છે. અને સાસણ ખાતે રાત્રી રોકાણ કર્યુ હતુ.

પીએમ મોદીનો સાસણમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો,અને તેઓએ સિંહ દર્શન સાથે કેમેરામાં સિંહ પરિવારની તસવીરો પણ ક્લિક કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.