જુનાગઢ : દુષ્કર્મના આરોપીએ પોલીસ કસ્ટડીમાં એસિડ પીને આત્મહત્યા કરી, મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદી મહિલા સામે ફરિયાદ..!

કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે શૌચાલયમાં આરોપીએ એસિડ પી લીધું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું

New Update
  • દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં આરોપી હતો પોલીસ કસ્ટડીમાં

  • પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ

  • એસિડ પીનાર દુષ્કર્મના આરોપીનું સારવાર દરમ્યાન મોત

  • મૃતકની પત્નીએ ફરિયાદી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

  • પતિને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો : મૃતકની પત્ની

Advertisment

ગીર સોમનાથ જિલ્લામાં દુષ્કર્મ અને એટ્રોસિટીના કેસમાં આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુંત્યારે મૃતકની પત્નીએ ફરિયાદી સામે કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના કેશોદમાં એક ચકચારીભર્યા કિસ્સામાં દુષ્કર્મના આરોપી અમાર જીકાણીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતોજેમાં તેનું મોત નિપજ્યું છે. મૃતક અમાર જીકાણીની પત્નીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કેકોડીનારના રહેવાસી સપના સોલંકી સાથે તેના પતિને છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.

ફરિયાદ મુજબસપના સોલંકી અનુસૂચિત જાતિની હોવાનું જણાવી અમાર જીકાણીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતી હતીજ્યારે તેમણે સંબંધ રાખવાની ના પાડીત્યારે સપના સોલંકીએ 22 જાન્યુઆરી2025ના રોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જીવલેણ ધમકીની ફરિયાદ નોંધાવી હતી. ગીર સોમનાથ એલસીબી પોલીસે 23 જાન્યુઆરીએ અમાર જીકાણીને અમદાવાદથી પકડ્યો હતો.

જે બાદ વેરાવળ લઈ જતી વખતે કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે શૌચાલયમાં આરોપીએ એસિડ પી લીધું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીના આરોપ મુજબસપના સોલંકી તેના પતિને પત્ની અને બાળકને છોડીને તેની સાથે રહેવા માટે સતત દબાણ કરતી હતી.

જેના કારણે તેઓ માનસિક તણાવમાં રહેતા હતા. આ તણાવના કારણે અમાર જીકાણીએ આત્મહત્યા કરી હોવાથી સપના સોલંકી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતકની પત્નીએ કેશોદ પોલીસ મથકે ફરિયાદી સામે જ ફરિયાદ નોંધાવી છે.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment