જુનાગઢ : દુષ્કર્મના આરોપીએ પોલીસ કસ્ટડીમાં એસિડ પીને આત્મહત્યા કરી, મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદી મહિલા સામે ફરિયાદ..!

કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે શૌચાલયમાં આરોપીએ એસિડ પી લીધું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું

New Update
  • દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં આરોપી હતો પોલીસ કસ્ટડીમાં

  • પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ

  • એસિડ પીનાર દુષ્કર્મના આરોપીનું સારવાર દરમ્યાન મોત

  • મૃતકની પત્નીએ ફરિયાદી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

  • પતિને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો : મૃતકની પત્ની

ગીર સોમનાથ જિલ્લામાં દુષ્કર્મ અને એટ્રોસિટીના કેસમાં આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુંત્યારે મૃતકની પત્નીએ ફરિયાદી સામે કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના કેશોદમાં એક ચકચારીભર્યા કિસ્સામાં દુષ્કર્મના આરોપી અમાર જીકાણીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતોજેમાં તેનું મોત નિપજ્યું છે. મૃતક અમાર જીકાણીની પત્નીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કેકોડીનારના રહેવાસી સપના સોલંકી સાથે તેના પતિને છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.

ફરિયાદ મુજબસપના સોલંકી અનુસૂચિત જાતિની હોવાનું જણાવી અમાર જીકાણીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતી હતીજ્યારે તેમણે સંબંધ રાખવાની ના પાડીત્યારે સપના સોલંકીએ 22 જાન્યુઆરી2025ના રોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જીવલેણ ધમકીની ફરિયાદ નોંધાવી હતી. ગીર સોમનાથ એલસીબી પોલીસે 23 જાન્યુઆરીએ અમાર જીકાણીને અમદાવાદથી પકડ્યો હતો.

જે બાદ વેરાવળ લઈ જતી વખતે કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે શૌચાલયમાં આરોપીએ એસિડ પી લીધું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીના આરોપ મુજબસપના સોલંકી તેના પતિને પત્ની અને બાળકને છોડીને તેની સાથે રહેવા માટે સતત દબાણ કરતી હતી.

જેના કારણે તેઓ માનસિક તણાવમાં રહેતા હતા. આ તણાવના કારણે અમાર જીકાણીએ આત્મહત્યા કરી હોવાથી સપના સોલંકી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતકની પત્નીએ કેશોદ પોલીસ મથકે ફરિયાદી સામે જ ફરિયાદ નોંધાવી છે.

Read the Next Article

છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો

છોટા ઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. 21 ઓગસ્ટથી છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો

New Update
Bodeli Nagarpalika

છોટાઉદેપુરના બોડેલીના રહેવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બોડેલીમાં નગરપાલિકા કાર્યાન્વીત કરવાની મંજૂરી આપી છે અને 21 ઓગષ્ટથી બોડેલી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઇ છે. છોટા ઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. 21 ઓગસ્ટથી છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તથા સંખેડા અને નસવાડી અને છોટાઉદેપુર મહત્વના નગરો છે. છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે અને જિલ્લાના લોકોને છેક વડોદરા સુધી ના આવવું પડે તે માટે છોટાઉદેપુર જિલ્લાની રચના કરાઇ હતી. હવે જિલ્લાના મહત્વના નગરને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી બોડેલીના નગરજનોને માળખાકીય સુવિધાઓ સહિત અન્ય રાજ્ય સરકારના લાભમાં વધારો થશે તથા ગ્રાન્ટો પણ મળશે.