જુનાગઢ : દામોદર કુંડમાં આવેલ પ્રાચીન મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરી પિતૃ તર્પણ માટે ખુલ્લો મુકાયો...

જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલ પવિત્ર દામોદર કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, ત્યારે પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે મોક્ષ પીપળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

New Update
  • દામોદર કુંડમાં આવેલ મોક્ષ પીપળો હતો જીર્ણ અવસ્થામાં

  • દામોદર ટ્રસ્ટમાં મોક્ષ પીપળાના જીર્ણોદ્ધાર માટેની રજૂઆત

  • ટ્રસ્ટ દ્વારા પ્રાચીન મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો

  • પિતૃ તર્પણ માટે પ્રાચીન મોક્ષ પીપળા ખુલ્લો મુકવામાં આવ્યો

  • મોક્ષ પીપળે જળ અર્પણ કરી પિતૃ તૃપ્તિ માટે પ્રાર્થના કરાય

જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલ પવિત્ર દામોદર કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છેત્યારે પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે મોક્ષ પીપળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગિરનારની ગોદમાં પવિત્ર દામોદર કુંડમાં આવેલ મોક્ષ પીપળો જીર્ણ અવસ્થામાં હતોત્યારે દામોદર કુંડ ટ્રસ્ટ મંડળ દ્વારા મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતોજ્યાં સફાઈ કામદારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મોક્ષ પીપળો પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દામોદર કુંડ ખાતે ચૈત્ર માસ કારતક માસ ભાદરવા માસમાં હજારોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરી મોક્ષ પીપળે જળ અર્પણ કરી પિતૃ તૃપ્તિ માટે પ્રાર્થના કરતા હોય છેત્યારે દામોદર ટ્રસ્ટમાં કરાયેલી રજૂઆતના પગલે ટ્રસ્ટ દ્વારા મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

Read the Next Article

ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...

ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

New Update
Devpodhi Ekadashi
  • દેવપોઢી અગિયારસનો માછીમાર સમાજમાં અનેરો મહિમા

  • માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાય

  • દરિયા દેવ-નર્મદા નદીના સંગમ સ્થાને દુગ્ધાભિષેક કરાયો

  • હર હર નર્મદેના નાદથી ભાડભૂતનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

  • મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો-સભ્યોની હાજરી

ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પાવન દિવસે માછીમાર સમાજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી દુગ્ધાભિષેક સાથે માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુગ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છેત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

દરિયામાંથી હીંલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છેઅને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે. આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હીંલસા માછલી પકડાઈ છેજેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવશયની એકાદશીએ લગભગ 1500થી વધુ બોટમાં માછીમારો દરિયામાં ઉતરી માછીમારી કરવા પ્રસ્થાન થયા હતા.