જુનાગઢ : કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આવ્યા જામકાની મુલાકાતે, ગૌ આધારિત ખેતી વિશે કર્યો સંવાદ

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ જુનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાતે આવ્યા હતા,

New Update
જુનાગઢ : કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આવ્યા જામકાની મુલાકાતે, ગૌ આધારિત ખેતી વિશે કર્યો સંવાદ

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ જુનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ ગૌ આધારિત ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ યોજી ખેતી વિશે માહિતી મેળવી હતી.

છેલ્લા ઘણા સમયથી ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જુનાગઢ જિલ્લાના જામકા ગામે ગૌ આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણા મંત્રી ભાગવત કરાડએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓએ ગૌ આધારિત ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું.

અત્રે મહત્વનુ છે કે, જામકા ગામના પરષોત્તમ સિદપરા છેલ્લા 20 વર્ષથી ગૌ આધારિત ખેતી કરી રહ્યા છે. ઉપરાંત તેઓ અન્ય ખેડૂતોને ગૌ આધારિત ખેતી તરફ વાળવા પ્રોત્સાહન પણ આપી રહ્યા છે. પરષોત્તમ સિદપરા પોતાની 30 વીઘા જમીન ઉપરાંત અન્ય ખેડૂતોની જમીન રાખી કુલ 180 વીઘા જમીનમાં પપૈયા, તરબૂચ, શેરડી સહિતના અન્ય વિવિધ પાકની ગૌ આધારિત ખેતી કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories