જુનાગઢ : ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરતાં ભક્તોમાં રોષ...

જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

New Update
  • હિન્દુ ધર્મની લાગણી દુભાવતી ઘટના સામે આવી

  • ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ

  • રવિવારની વહેલી સવારે અજાણ્યા શખ્સોનું કૃત્ય

  • અજાણ્યા શખ્સો મૂર્તિ ખંડિત કરતાં ભક્તોમાં રોષ

  • અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માંગ ઉઠી

જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

જુનાગઢના ગરવા ગિરનાર પર્વત પર 5500 પગથિયા ઉપર ગોરક્ષનાથનું મંદિર આવેલું છે. જ્યાં રવિવારની વહેલી સવારે 3થી 4 વાગ્યાના અરસામાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીંગોરક્ષનાથ મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. મૂર્તિ તોડનાર અસામાજિક તત્વોએ સૌથી પહેલાં પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પરંતુજ્યારે ઘોંઘાટ થયોત્યારે અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4થી 5 લોકોને ભાગતા જોયા હતા. હાલખંડિત મૂર્તિ મળી ગઈ છે. જોકેકોણે અને કયા લોકોએ આ કૃત્ય કર્યું છેતે વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

પરંતુઆ ઘટના બાદ લાખો લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. તો બીજી તરફસમગ્ર ઘટનાથી ભાવિક ભક્તોમાં રોષ ભભુક્યો છેત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીંમૂર્તિ ખંડિત કરનાર સામે અસામાજિક તત્વોને શોધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરવામાં આવી છે.

Latest Stories