કચ્છ: ભુજમાં રામ નવમી નિમિતે કળા, સાહિત્ય, શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોઍ સમન્વય સાધી તૈયાર કરી રામાયણ આધારિત પ્રશ્નોત્તરી

New Update
કચ્છ: ભુજમાં રામ નવમી નિમિતે કળા, સાહિત્ય, શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોઍ સમન્વય સાધી તૈયાર કરી રામાયણ આધારિત પ્રશ્નોત્તરી

'ગૃહે ગૃહે શ્રી રામ' ના મુખ્ય સૂત્રને લઈને કચ્છમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.કળા, સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોઍ સમન્વય સાધી રામનવમી નિમિતે રામાયણ આધારિત પ્રશ્નોત્તરી તૈયાર કરી હતી.જેમાં કચ્છ ઉપરાંત ગુજરાત અને વિદેશમાંથી પણ સોશિયલ મીડિયા મારફતે બાળકોએ વિશિષ્ટ પ્રશ્નોત્તરીમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. આ 'પ્ર્શ્નાયણ'ના પ્રેરણા શ્રોત ગાંધીધામમાં એચ.કે.વી. શાળાના શિક્ષકા શીતલ ધોળકિયાના પ્રયાસોથી ખાસ રામાયણ આધારિત પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હતા.

રામનવમીના સવારે ભગવાન શ્રીરામના ગાંધીધામ સ્થિત મંદિરથી આ પશ્નપત્રનું લોન્ચિંગ કરાયું હતી.જેમાં સાડાત્રણસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં બાળકો ગેમિંગ કે સોશ્યિલ મીડિયામાં રીલ્સ જોવામાં મશગુલ બન્યા છે ત્યારે રામાયણ આધારિત પ્રશ્નોએ આધ્યાત્મિક ક્ષેત્રે ચેતના જગાવી છે. આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણ પત્રો આપવામાં આવ્યા હતા.આ સ્પર્ધામાં દરેક ધર્મના વિધાર્થીઓઍ ભાગ લીધો હતો. ઍ દ્રષ્ટિઍ સદભાવનાના દર્શન થયાં. આ પ્રશ્નોત્તરી દરમ્યાન સચિન ધોળકિયા, મમતાજોશી, રીટા દાદલ , અજય પરમાર અને ધૈર્ય છાયાએ સહયોગ આપ્યો હતો.

Read the Next Article

ISRO દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન

New Update
isro

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે.

આ માહિતી ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ રૂપિયા હશે. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવું સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. અહીંથી ISRO તેના PSLV અને SALV રોકેટ લોન્ચ કરશે.

તેનું સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે ભૂમધ્ય રેખાની નજીક ગુજરાતની સ્થિતિ અવકાશ મિશન માટે મોટો ફાયદો આપે છે.

ગુજરાતની પોતાની 'સ્પેસ મિશન પોલિસી'

જેમ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સ્પેસ નીતિ લાગુ કરી છે. ગુજરાત સરકારે પણ નવી 'સ્પેસ મિશન પોલિસી' શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. આ નીતિ ફક્ત ISRO ને જ મદદ કરશે નહીં, પરંતુ યુવાનોને પણ નવી તકો મળશે.

ISRO ના આગામી મોટા લક્ષ્યો

નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ISRO હવે તેના 70 ટકા મિશન કમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સ પર કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઉપરાંત ISRO આગામી ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ચંદ્રયાન-5 મિશન, ગગનયાન મિશન** (જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે) અને શુક્ર ઓર્બિટર મિશન પર પણ નજર રાખી રહ્યું છે. આ બધાને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Latest Stories