ખેડા જિલ્લાના સરનાલ નજીક ગળતેશ્વર મહાદેવ ખાતે આવેલ મહી નદીના વિસ્તારમાં એન.ડી.આર.એફ અને જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી મહી નદીમાં ફસાયેલ વ્યક્તિઓને બચાવવા અર્થે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડા મામલતદાર કચેરી ગળતેશ્વરના કંટ્રોલરૂમ પર ત.ક. મંત્રી સરનાલ દ્વારા મહિ નદીમાં કુલ 14 લોકો ડૂબ્યા હોવા અંગેની જાણ ફરજ પરના હાજર કર્મચારીને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મામલતદાર, ૧૦૮ની ટીમ, જીલ્લા કંટ્રોલ રૂમ, ટી.ડી.ઓ. ગળતેશ્વર પી.એસ.આઈને જાણ કરવામાં આવી હતી. ત.ક.મંત્રી સ્થાનિક તરવૈયાઓને સ્થળ પર હાજર રહેવા ગામમાં જાણ કરી હતી. ઠાસરા, નડિયાદ ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટી.ડી.ઓ ધ્વારા કંટ્રોલ રૂમમાં અવારનવાર લેવાયેલ પગલા અંગે અને તાજી પરિસ્થિતિ અંગે જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
નદીમાંથી બહાર કઢાયેલ વ્યક્તિઓને ૧૦૮ ધ્વારા અંબાવ પી.એચ.સી. સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ફસાયેલ સ્થાનિક અન્ય વ્યક્તિઓ રેસ્ક્યુ ટીમ દ્વારા દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બીજી જગ્યા પર પાવાગઢ તરફ જતા પદયાત્રીઓ મહી નદીમાં નહાવા પડતા તેઓ પૈકી ૮ વ્યક્તિઓ નદીના પાણીમાં ફસાઈ ગયા હતા. તેઓને એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉક્ત કામગીરીનું ઠાસરા પ્રાંત અધિકારી આર.એમ.શુકલા દ્વારા મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં સ્થાનિક સરપંચ, ત.ક. મંત્રી, મામલતદાર, ડિઝાસ્ટર મામલતદાર સાચી દેસાઈ, પોલીસ ટીમ, ફાયરબ્રિગેડ ટીમ, તરવૈયાઓ, ૧૦૮ની ટીમ અને NDRFમાં ટીમ જોડાઈ હતી.