ખેડા : નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાય...

ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

0
New Update

ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે વિકાસ સપ્તાહ” અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાય હતી. જેમાં બહોળી સંખ્યામાં કર્મીઓએ જોડાઈને હાથમાં સરકારી યોજનાઓની માહિતી આપતા બેનરો લઈ પદયાત્રા યોજી હતી. આ પ્રસંગે માતર ધારાસભ્ય કલ્પેશ પરમારે સંતરામ કેળવણી મંદિરથી પદયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. ત્યારબાદ ધારાસભ્ય સહિતના તમામ મહાનુભાવોએ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલ જન્મસ્થળ સ્મારક સ્થિત ગાંધીજીની પ્રતિમા અને સરદાર પટેલની તસવીરને સુતરની આંટી પહેરાવી હતી. આ પદયાત્રામાં માતર ધારાસભ્ય કલ્પેશ પરમારસંત નિર્ગુણદાસજી મહારાજનડિયાદ પ્રાંત અધિકારી કલ્પેશ સુવેરાજિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણારમતગમત અધિકારી લક્ષમણસિહંઆંગણવાડીઆરોગ્યશિક્ષણનગરપાલિકાજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના કર્મચારીઓસંતરામ કેળવણી મંદિરના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.

#Gujarat #CGNews #Kheda #Nadiad #Sardar Patel #Vikas Padayatra
Here are a few more articles:
Read the Next Article