ખેડા : રમઝાન માસની ઊજવણીને અનુલક્ષી હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

New Update

ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Advertisment

હાલમાં મુસ્લીમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલુ છે. રમઝાન માસની ઉજવણી જિલ્લામાં મુસ્લીમ સમુદાયના વસ્તી ધરાવતા તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે. આ દરમ્યાન નમાજ પઢવા માટે મસ્જીદ, દરગાહ તથા નક્કી કરેલ અન્ય સ્થળે મોટી સંખ્યામાં નાગરીકો એકત્ર થતા હોય છે અને તા. ૦૩/૦૫/૨૦૨૨ના રોજ રમઝાન ઈદ તહેવારની ઉજવણી જિલ્લામાં મુસ્લીમ સમુદાયના વસ્તી ધરાવતા તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવનાર છે, ત્યારે બી.એસ.પટેલ., જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદ, ગુજરાત, પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૧)થી તેઓને મળેલ સત્તાની રૂઈએ સમગ્ર ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં તા. ૧૨/૦૫/૨૦૨૨ના રોજ વિવિધ કૃત્યો કરવાની મનાઈ ફરમાવેલ છે.

જેમાં હથીયાર, તલવાર, ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી, સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથીયારો કે, જેનાથી શારીરીક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવાનું., મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડવાનું, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું અથવા અશ્લિલ ગીતો ગાવાનું, જેનાથી સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા તેવા ચિત્રો પ્રતિકો કે, પ્લે-કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાનું-બતાવવાનું અથવા ફેલાવો કરવાનું, રાજ્યની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા પાડવાનું, નકલ કરવાનું વિસ્તાર સમગ્ર ખેડા જીલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment
Latest Stories