Connect Gujarat
ગુજરાત

ખેડા : ગાંધી-સરદારના દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું, મુલાકાતીઓને પુસ્તક ભેટ અપાયું...

ભવ્ય પ્રદર્શનને સંતરામ મંદિરના પ.પૂ. નિર્ગુણદાસજી મહારાજ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજ દેસાઇના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

ખેડા : ગાંધી-સરદારના દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું, મુલાકાતીઓને પુસ્તક ભેટ અપાયું...
X

ખેડા જિલ્લાના નડીયાદની 125 વર્ષ જુની અને જાણીતી ડાહીલક્ષ્મી લાયબ્રેરીના ઉપક્રમે વાણીયાવડ સર્કલ પાસે, કોલેજરોડ નડિયાદ મુકામે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના દુર્લભ પુસ્તકોના ભવ્ય પ્રદર્શનને સંતરામ મંદિરના પ.પૂ. નિર્ગુણદાસજી મહારાજ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજ દેસાઇના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

આ પુસ્તક પ્રર્દશન શનિવાર અને રવિવારે સવારે ૯થી રાતે ૮ સુધી ખુલ્લુ રહેશે, જેનો મહત્તમ લાભ નાગરિકોની સાથે સાથે યુવાનો અને વિદ્યાર્થીઓને લેવા માટે દંડક પંકજ દેસાઇએ આગ્રહભરી વિનંતી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આઝાદી વખતનો ઇતિહાસ અને તે વખતની દેશની પરિસ્થિતિનો ચિતાર આપતા ચિત્રો અને પુસ્તકોનો પરિચય થાય છે અને આજની યુવા પેઢીને આ આઝાદી વિશેની માહિતીની જિજ્ઞાસા અહિ પૂર્ણ થશે. તેઓને ખુબ જરૂરી માહિતી આ અલભ્ય પુસ્તકોમાંથી મળશે.

નડિયાદની હિન્દુ અનાથ આશ્રમ, વિઠ્ઠલકન્યા વિદ્યાલય, સરદાર પટેલ સ્કુલ તથા ડાહીલક્ષ્મી લાયબ્રેરી જેવી વિવિધ સંસ્થાઓમાં સચવાયેલા ગાંધી સરદાર સાહિત્ય-ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ પ્રદર્શન મેળામાં અમદાવાદના સાબરમતિ આશ્રમ, નવજીવન ટ્રસ્ટ અને સરદાર પટેલ મેમોરીયલમાંથી લાવેલા અમૂલ્ય પુસ્તકોના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રર્દશનની મુલાકાત લેનાર દરેકને એક પુસ્તક ભેટ આપવામાં આવ્યુ હતું. ઈપ્કોવાળા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી યોજાયેલ આ વિશિષ્ટ પુસ્તક પ્રર્દશન મેળાનો જિલ્લાના વિદ્યાર્થીયો, શિક્ષકો તથા પ્રબુદ્ધ નાગરિકોને લાભ લીધો હતો.

Next Story