કચ્છ : પાકિસ્તાનનાં નિષ્ફળ હુમલા બાદ સંપૂર્ણ બજારો બંધ રાખવાની સાથે બ્લેકઆઉટનું કરાયું પાલન

ભારત પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી નિષ્ફળ હુમલા કરાઈ રહ્યા છે. ત્યારે સંભવિત યુદ્ધની સ્થિતિને પગલે કચ્છના વહીવટીતંત્ર દ્વારા તમામ બજારોને બંધ રાખવા જણાવાયું

New Update
  • કચ્છમાં પાકિસ્તાનના હુમલા નિષ્ફળ

  • હુમલા બાદ લોકોને કરાયા સતર્ક

  • ભુજમાં બજાર કરવામાં આવ્યા બંધ

  • સુરક્ષા સલામતીના ભાગરૂપે લેવામાં આવ્યો નિર્ણય

  • જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ઉમટી ભીડ

  • રાત્રી દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ માટે અપાઈ સૂચના

ભારત પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી નિષ્ફળ હુમલા કરાઈ રહ્યા છે. ત્યારે સંભવિત યુદ્ધની સ્થિતિને પગલે કચ્છના વહીવટીતંત્ર દ્વારા તમામ બજારોને બંધ રાખવા જણાવાયું છે. ત્યારે હાલમાં ભુજમાં ખુલી રહેલી દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી છે. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે.

ભારત પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા,જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.જોકે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં કચ્છમાં  સાવચેતીના ભાગરૂપે જિલ્લાના લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા કહેવાયું છે. તેમજ કોઈ પણ નાગરિક બિનજરૂરી બહાર ન નીકળે તથા રાત્રી દરમિયાન પણ સૌને સ્વયંભૂ બ્લેકઆઉટનું સંપૂર્ણપણે પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત ભુજ સહિતના સ્થળોએ સાવચેતીના ભાગરૂપે બજારો પણ બંધ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જોકે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે દુકાનો પર ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી.પરંતુ વહીવટી તંત્રની સૂચનાને પગલે લોકોએ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખી હતી,અને તંત્રને યુદ્ધની સ્થિતિમાં સંપૂર્ણ સહયોગ આપવા માટેની તૈયારી દર્શાવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિના પગલે કચ્છ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ, કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા નાગરિક ધર્મ નિભાવવા લોકોને વિશેષ અપીલ કરવામાં આવી છે.

જેમાં રાત્રીના સમયે તમામ નાગરિકો લાઈટ બંધ રાખીને "સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ"માં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે. આ સાથે જ નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા તેમજ તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.